April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિપ્ર કલ્‍યાણ ચેરિટેબલ ટ્રસ્‍ટની દીપાવલી બેઠક યોજાઈ

ટ્‍સ્‍ટ પ્રમુખ તરીકે રાકેશ તિવારીની સર્વાનુમતે વરણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વિપ્ર કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપીના કાર્યાલય ખાતે આયોજિત દિવાળીની બેઠકમાં તમામ ટ્રસ્‍ટીઓએ ફરી એકવાર ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે શ્રી રાકેશ તિવારીની સર્વાનુમતે વરણી કરી હતી. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટના પ્રમુખ અને જિલ્લા ઉપ પ્રમુખ ભાજપ વલસાડ શ્રી રાજનારાયણ તિવારી (પપ્‍પુજી) ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે ટ્રસ્‍ટની વાર્ષિક બેઠક પણ યોજાઈ હતી. જેમાં ટ્રસ્‍ટમાં આઠ નવાટ્રસ્‍ટીઓની નિમણૂંક કરવામાં આવી હતી. શ્રી મુન્ના તિવારી, શ્રી શિવ ગીરી, શ્રી ડી.કે. તિવારી, શ્રી કૃષ્‍ણ મુરારી શુકલા, શ્રી જીતેન્‍દ્ર કુમાર શુકલા, શ્રી કપિલ ત્રિપાઠી, શ્રી સંતોષ પાંડે (હરિહંત) શ્રી વિકાસ પધાર્યા અને ટૂંક સમયમાં જ ટ્રસ્‍ટના 6 નવા ટ્રસ્‍ટીઓ શ્રી શૈલેન્‍દ્ર દુબે, શ્રી પ્રેમ પાંડે, શ્રી વિપિન પાંડે, શ્રી એ.એન. તિવારી, શ્રી ભાસ્‍કર શુકલ, શ્રી નીરજ શર્મા અને ટ્રસ્‍ટના તમામ ટ્રસ્‍ટીઓએ ફરી એકવાર સર્વાનુમતે શ્રી રાકેશ તિવારીને ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ચૂંટયા હતા અને તેમને કમિટી બનાવવાની સંપૂર્ણ સત્તા પણ આપી હતી. ટ્રસ્‍ટ દ્વારા તેમને સિક્કા અને મીઠાઈ આપીને દિવાળીની શુભકામનાઓ આપવામાં આવી હતી અને આ પ્રસંગે ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને રાકેશ ત્રિપાઠી, શ્રી કમલેશ તિવારી, શ્રી સંતોષ પાંડે, સંતોષ મિશ્રા, લીલાધર મિશ્રા, વેદ પ્રકાશ શુકલ અને ઈચ્‍છાપૂર્તિ મંદિરના પૂજારી શ્રી લવલેશ પાંડે અને સભ્‍યો દીપક મિશ્રા, જય પ્રકાશ શુકલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

vartmanpravah

ગુજરાતનું ગૌરવ-આદિવાસી સમાજનું અણમોલ નારી રત્‍ન: ટાંકલ ગામના ડો.રીટાબેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

Leave a Comment