July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રેલવે પુલ તોડવાની કામગીરીથી બજાર રોડ બંધ


પુલનો કાટમાળ મુખ્‍ય બજાર એન્‍ટ્રીમાં પડતા રોડ બ્‍લોક થઈ ગયો: કસ્‍ટમ રોડથી અવર જવર થઈ શકશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપીનો મહત્ત્વાકાંક્ષી એવો રેલવે ઓવરબ્રિજને નવિન બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પૂર્વ તરફ પુલનો હિસ્‍સો સંપૂર્ણપણે તોડી પડાયો છે. હવે ફાટક પછીનો વાપી ઝંડાચોક એરીયામાં પુલ તોડવાની કામગીરી પહોંચી ચૂકી છે. તેથીગતરોજ ઝંડાચોકમાં પુલનો કાટમાળ નીચે પડતા મુખ્‍ય બજારની એન્‍ટ્રી બંધ થઈ જતા નવી હાલાકી વાપીમાં ઉભી થવા પામી છે.
વાપી પૂર્વ-પヘમિને જોડતો મુખ્‍ય હાર્ટલાઈન સમાન રેલવે ઓવર બ્રિજ 142 કરોડને ખર્ચે નવો બનાવાઈ રહ્યો છે તેથી જુના પુલને ધ્‍વંશ કરવાની કામગીરી આગળ ધપી રહી છે. આજકાલ ઝંડાચોકમાં આવી પહોંચી છે. તેથી પુલનો કાટમાળ મુખ્‍ય બજારની એન્‍ટ્રી ઉપર જ ખટકાઈ જતા બજારનો પ્રવેશ બંધ થઈ ગયો છે. વૈકલ્‍પિક રીતે હવે અવર જવર કસ્‍ટમ રોડથી કરવી પડશે. તમામ નાના-મોટા વાહનો કસ્‍ટમ રોડથી પાલિકા, બજાર સુધી પહોંચી શકશે. જો કે બે વર્ષમાં પુલ નિર્માણ કાર્ય પુરુ કરવાનું હોવાથી પુલ તોડવાની સાથે સાથે પヘમિના ભાગે નવા પુલના પિલ્લરો બનાવવાની કામગીરી ઝડપી રીતે આગળ વધી રહી છે. તેથી સમય મર્યાદામાં નવો પુલ બની જશે તેવું નજરાઈ રહ્યું છે.

Related posts

વાપીમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 1.91 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનના કામનું ખાતમૂર્હુત કરાયું

vartmanpravah

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

નાનાપોંઢા અને ધરમપુર ખાતે બાગાયત વિભાગ વલસાડ દ્વારા ખેડૂત તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment