April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ભીમપોર ગ્રા.પં. ખાતે યોજાયેલ જીપીડીપીની ગ્રામસભામાં સાંસદ ઉમેશભાઈ પટેલનો આરોપઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઈરાદાપૂર્વક પંચાયતી રાજની સત્તાઓ આપવામાં નથી આવતી

વિદ્યુત વિભાગના જે તે સમયના વહીવટની સાંસદ ઉમેશભાઈ પટેલે કરેલી ભરપેટ પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : શનિવારે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી)-2025-’26 માટે લોકોની યોજના અભિયાન અંતર્ગત ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ગ્રામસભા મળી હતી. જેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણના બી.ડી.ઓ. શ્રી મિહિર જોષી, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી યોગેશભાઈ પટેલ, ઉપ સરપંચ શ્રીમતી રંજીતાબેન પટેલ, પંચાયતના સભ્‍યો, વિવિધ સરકારી વિભાગના પ્રતિનિધિઓ સહિત ગ્રામજનોની ઉપસ્‍થિતિ રહી હતી.
આ પ્રસંગે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે બંધારણના 73મા અને 74મા સંશોધન અંતર્ગત પંચાયતી રાજને આપવામાં આવેલી સત્તા દમણ-દીવની સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓને ઈરાદાપૂર્વક નહીં આપવામાં આવી રહી હોવાના આરોપો લગાવ્‍યા હતા. તેમણે દમણ-દીવના પુરવઠા વિભાગ દ્વારા કંટ્રોલમાં રેશન કાર્ડ ધારક વ્‍યક્‍તિને સાડાચાર કિલો ચોખા અને અડધો કિલો ઘઉં જ અપાતા હોવાની ફરિયાદ પણ કરી હતી. તેની સામે ગુજરાતમાં રેશનની દુકાનોમાં રેશન કાર્ડ ધારકોને તમામ અનાજ અને મીઠુંથી લઈ ઘરવપરાશની તમામ ચીજવસ્‍તુઓ મળતી હોવાનું જણાવ્‍યું હતું.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે દમણ અને દીવના તે સમયના વિદ્યુત વિભાગની પણ ખુબ પ્રશંસા કરી હતી અને હાલના ટોરેન્‍ટના વહીવટની સખત શબ્‍દોમાં આલોચના કરી હતી.
જીપીડીપીની મળેલી ગ્રામસભામાં અનેક પ્રસ્‍તાવો પણ પસાર કરવામાં આવ્‍યા હતા. જેના સંદર્ભમાં પણ સાંસદશ્રીએ જણાવ્‍યું હતું કે, ગ્રામસભામાં પસાર થયેલા ઠરાવોના કામ અવશ્‍ય થવા જોઈએ, પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી ગ્રામસભામાં પસાર થતાં ઠરાવો પૈકીનું કોઈ કામ થતું નથી. તેમણે ગ્રામસભામાં ઉચ્‍ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીની પણ ટીકા કરી હતી.

Related posts

ચીખલી તાલુકામાં જુદા જુદા ૩ બનાવોમાં ઍક મહિલા સહિત ૩ના મોત

vartmanpravah

આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

અમદાવાદ જતી ડબ્‍બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્‍ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્‍ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

Leave a Comment