January 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીમાં સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્‍યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2020-21ની સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્‍યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષ 2020-21 થી લઈ વર્ષ 2023 સુધીની સ્‍કોલરશીપ મળી નથી.
વિદ્યાર્થીઓના જણાવ્‍યા મુજબ અમોએ વારંવારશિક્ષણ વિભાગના અધિકારીઓને મળી રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા ‘થોડા દિવસોમાં મળી જશે’. એવા જ વાયદા કરતા રહે છે. વિદ્યાર્થીઓએ જણાવી રહ્યા છે કે, અમે સામાન્‍ય પરિવારમાંથી આવીએ છીએ, અમારા માતા-પિતા કોલેજની ફી ભરવા સક્ષમ નથી. અમારૂં શિક્ષણ ન બગડે એના માટે એક-બે વર્ષની જેમ તેમ કરી ફી ભરી છે, તેથી અમે સરકાર દ્વારા મળતી સ્‍કોલરશીપની આશાએ અમારા ભવિષ્‍યનું ભણતર ભણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો અમને સ્‍કોલરશીપ નહીં મળશે તો અમે અમારો શિક્ષણ ખર્ચ ઉઠાવવા અસમર્થ છીએ અને અમારૂં ભવિષ્‍ય અંધકારમય બનવાની સંભાવના છે. આ સંદર્ભે અમે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને રજૂઆત કરી હતી કે, અમને વહેલી તકે સ્‍કોલરશીપ મળે. આ બાબતે કલેક્‍ટરશ્રીએ અમને આશ્વાશન આપ્‍યું હતું કે, તમારા મુદ્દાને ધ્‍યાનમાં લઈને જેમ બને તેમ વહેલી તકે સ્‍કોલરશીપ પ્રદાન કરવાના પ્રયાસ કરવામાં આવશે.

Related posts

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો રથ દમણ જિલ્લાના પરિયારી ગ્રામ પંચાયત ખાતે આવતાં કરાયેલું ઉષ્‍માભેર સ્‍વાગત: હર ઘર જળ અને ઓડીએફ યોજનાઓને પૂર્ણ કરવા બદલ સરપંચ પંક્‍તિબેન પટેલનું પ્રમાણપત્ર આપી કરવામાં આવેલું સન્‍માન

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

Leave a Comment