Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ અને વન વિભાગના સહયોગથી આજે ડોકમરડી ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખાતે જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતીને પ્રોત્‍સાહન આપવા માટે જીવામૃત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, હાલમાં કેન્‍દ્ર સરકારે જૈવિક ખેતીને પ્રોત્‍સાહન મળે એ માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીને ખેડૂતો જૈવિક ખેતીતરફ વળે એ એનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે. તેથી જીવામૃત કેવી રીતે બનાવી શકાય તેની પ્રક્રિયા સ્‍થાનિક ખેડૂતોને બતાવવામાં આવી હતી. જેના માટે દસ લીટર દેશી ગાયનું મૂત્ર, 10 કિલો દેશી ગાયનું છાણ, એક મુઠ્ઠી ઝાડ નીચેની કે વાડીની માટી, એક કિલો દેશી ગોળ, એક કિલો ચણા કે કોઈપણ દાળનો લોટ. આ તમામ સામગ્રીનું મિશ્રણ તૈયાર કરવા તેને 200(બસ્‍સો) લીટર પાણીમાં ભેળવી દેવું, ત્‍યારબાદ મિશ્રણને કંતાન(શણના કોથળા)થી ઢાંકી દેવું. બાદમાં સવાર-સાંજ પાંચ મિનિટ આ મિશ્રણને હલાવતા રહેવું, આ મિશ્રણ તૈયાર થતાં ઉનાળામાં બે-ત્રણ દિવસ લાગશે જ્‍યારે શિયાળામાં એક અઠવાડીયામાં તૈયાર થઈ જાય છે. આ જીવામૃતને ગાળીને એક એકર જમીનમાં પિયતના પાણી સાથે અથવા ઉભા પાકમા છંટકાવ કરી શકાય છે. આ જીવામૃત તૈયાર થયા પછી તેનો પંદર દિવસ સુધી ઉપયોગ કરી શકાશે.
આજના કાર્યક્રમમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ વન વિભાગના મુખ્‍ય વન સંરક્ષક (સી.સી.એફ.) શ્રી એમ.રાજકુમાર(આઈ.એફ.એસ.), નાયબ વન સંરક્ષક (ડી.સી.એફ.) શ્રી થોમસ વર્ગીસ(આઈ.એફ.એસ.) અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

vartmanpravah

વાપી કેબીએસ કોલેજનું ગૌરવ : ઈન્‍ટર કોલેજ ચેસ સ્‍પર્ધામાં બીજું સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

દમણ ન.પા.ના ચીફ ઓફિસર સંજામ સિંઘના નેતૃત્‍વમાં દમણ ન.પા.ના ફિલ્‍ડ સુપરવાઈઝરો હવે યુનિફોર્મ, આઈકાર્ડ તથા સેફટી શુઝમાં દેખાશેઃ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ કરેલું વિતરણ

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

ચીખલીના તાલુકાના કુકેરી ગામમાં પરષોત્તમ રૂપાલા ટિકિટ રદ્‌ ન થાય ત્‍યાં સુધી ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાડાયા

vartmanpravah

Leave a Comment