August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

વહેલા વરસાદની આગાહીના પગલે અપરિપક્‍વ કેરી બેડાઈ રહી છે તેથી મણ દીઠ 300 થી 500 રૂા. ભાવ તૂટયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લો એટલે કેરી પાક માટે સમગ્ર ગુજરાત માટે નં.1 રહ્યો છે. હાલમાં કેરીની કુલ સિઝન ચાલી રહી છે. માર્કેટમાં પુષ્‍કળ પ્રમાણમાં કેરી ઠલવાઈ રહી છે. પરંતુ છેલ્લા બે દિવસથી અપરિપક્‍વ કેરી બજારમાં આવતા કેરીના ભાવ ગગડી ગયા છે. મણ દીઠ 300 થી 500 નો ભાવ તૂટી ગયો છે.
કેરીની સિઝન પ્રારંભમાં 1800 થી 2000 રૂા.નો ભાવ શરૂ થયો હતો. કમોસમી વરસાદની માનસિકતા આધિન કેરી બજારમાં ઓછી આવશે તેવુ વાતાવરણ હતું પરંતુ માવઠા કે કમોસમી વરસાદની કેરી ઉત્‍પાદન ઉપર કોઈ ખાસ અસર થયેલી જોવા મળી નહોતી ઉલટાની આવકો દિન પ્રતિદિન વધી રહીહતી તેથી ભાવ કેસરના 1300 થી 1400 થઈ ગયા હતા. હાફૂસ 1000 રૂા. સાત-આઠ દિવસ બજારમાં ભાવો ટકેલા રહ્યા પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસ વહેલી વરસાદ આવશે તેવી વાઈકાને લઈ ખેડૂતો અપરિપક્‍વ કેરીઓ બેડવાનું શરૂ કરી દીધુ. બજારમાં કેરીની આવક બેવડાઈ જતા બજાર ભાવમાં 300 થી 500 રૂા.નો હાલમાં ઘટાડો થઈ ચૂક્‍યો છે.

Related posts

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

ચીખલીના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશત

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

vartmanpravah

Leave a Comment