Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશતે સ્‍થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો છે.
ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ખેરગામ રોડ અને નાના ડુંભરીયાને જોડતા મુખ્‍ય માર્ગ સ્‍થિત સ્‍થાનિક કોતર ઉપર ડ્રેનેજ વિભાગ દ્વારા ચાલુ વર્ષે લાખો રૂપિયાના ખર્ચે બોક્ષ કલવર્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. આ સ્‍થળે પહેલા ડુભાઉ નાળુ હતું જેચોમાસાના સામાન્‍ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જતા આ માર્ગ પરથી વાહન વ્‍યવહાર અટકી જતો હતો. અને ખાસ કરીને ડેરીમાં દૂધ ભરવા જતા પશુ પાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. વધુમાં આ માર્ગ આ વિસ્‍તારના ખેડૂતો માટે પણ મહત્‍વનો છે.
આ દરમ્‍યાન ગામના આગેવાનનની રજૂઆત બાદ મોટા ડુંભરીયામાં સ્‍થાનિક કોતર ઉપર ડ્રેનેજ વિભાગ દ્વારા પૂરતી ઊંચાઈવાળા બોક્ષ કલવર્ટનું તો નિર્માણ કરવામાં આવ્‍યું છે. પરંતુ હવે ચોમાસાના આગમનના ગણતરીના દિવસો બાકી હોવા છતાં ડ્રેનેજ વિભાગ દ્વારા એપ્રોચ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્‍યું નથી. મુખ્‍ય સ્‍ટ્રક્‍ચરની ઊંચાઈ વધુ હોય તેવા સંજોગોમાં બંને તરફના એપ્રોચ રોડમાં જરૂરી પુરાણ કરી રોલિંગ ન કરવામાં આવશે તો ચોમાસામાં બન્ને તરફનો એપ્રોચ બેસી જશે અને વાહન વ્‍યવહાર અટકી જવાની નોબત આવશે. આ ઉપરાંત કોતરનું પાણી એપ્રોચ રોડના પ્રારંભથી એટલે કે માર્ગ પરથી વહેશે અને આ બોક્ષ કલવર્ટની બંને તરફ માર્ગ ઉપર પાણી ભરાવાની શકયતા હોય તેવા સંજોગોમાં એપ્રોચ રોડની અધૂરી કામગીરીથી બોક્ષ કલવર્ટનો કોઈ મતલબ રહેશે તેમ જણાતું નથી અને લોકોની હાલાકી યથાવત રહેશે તે નિヘતિ છે.
મોટા ડુંભરીયાના અગ્રણી અશોકભાઈના જણાવ્‍યાનુસાર અમારા મુખ્‍ય માર્ગ ઉપરબોક્ષ કલવર્ટ બનાવાયું છે. પરંતુ બંને તરફ એપ્રોચ રોડની કામગીરી હાલે અધૂરી જણાઈ છે. ત્‍યારે બન્ને છેડે જરૂરી પુરાણ કરી લેવલ મેઈન્‍ટેન કરવામાં આવશે તો જ માર્ગ પર પાણી ભરાશે નહિ.
ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.બી.દેશમુખના જણાવ્‍યાનુસાર ઘેજ ગામે બોક્ષ કલવર્ટના એપ્રોચ બાબતે ડેપ્‍યુટી એન્‍જીનીયરને સૂચના આપી તપાસ કરાવી લઉં છું.

Related posts

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ રાઠોડની વરણી

vartmanpravah

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

Leave a Comment