June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

વિવિધ 10 કમિટીની રચના કરાઈ : મુખ્‍ય માર્ગ ઉપર ગેટ અને સ્‍વાગત બેનરો લગાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અમદાવાદ એસ.જી. હાઈવે જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચુ જગત જનની પાટીદાર સમાજની કુળદેવી માઁ ઉમિયાનું ભવ્‍ય ગગનચુંબી મંદિર બની રહ્યું છે ત્‍યારે માતાજીનો દિવ્‍ય રથ પ્રચાર-પ્રસાર માટે ગુજરાતના જિલ્લાઓ ફરી રહ્યો છે. તે અંતર્ગત આગામી તા.05 અને 06 જૂનના રોજ વાપી વિસ્‍તારમાં પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારીના ભાગ રૂપે શનિવારે રાત્રે સૌરાષ્‍ટ્ર પાટીદાર સમાજ ભવનમાં મીટિંગ યોજાઈ હતી.
ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ વાપીમાં ભ્રમણ કરવાનો હોવાથી બે દિવસના મહોત્‍સવની તડામાર તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. વાપી વિસ્‍તારમાં વસતા ઉત્તરગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના પાટીદાર પરિવારો માતાજીના દિવ્‍ય રથના સ્‍વાગત અને પરિભ્રમણ માટે થનગની રહ્યો છે તે માટે વિવિધ 10 કમિટીની રચના, સ્‍વાગત વિવિધ ગેટ અને બેનરોનું આયોજન હાથ ધરાઈ ચુક્‍યુ છે તે એટલી જ શ્રધ્‍ધા અને આસ્‍થા સાથે દાનની પણ અવિરત સરવાણી ચાલુ થઈ છે. સૌરાષ્‍ટ્ર પાટીદાર સમાજ ભવનમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજની મીટિંગ આયોજક સમિતી તરફથી સતિષભાઈ પટેલ, નરેન્‍દ્રભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ તથા મહિલા મંડળ તરફથી ગીતાબેન પટેલએ આયોજનની સવિસ્‍તાર વિસ્‍તૃત માહિતી આપી હતી. આગામી તા.26 કે 27 મે ના રોજ સમસ્‍ત સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાત પાટીદાર પરિવારોની મુખ્‍ય મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

દાનહના રખોલી ખાતે આવેલ હોટલ મધુબનમાં સેંકડો યુવાનો સાથે ભાજપની બેઠક: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 25મી એપ્રિલની દાનહ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment