Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખ અને દાનહ જિ.પં.ના સીઈઓ ડો. અપૂર્વ શર્માની ઉપસ્‍થિતિમાં શુક્રવારે ખડોલીના કોમ્‍યુનિટી હોલ ખાતે યોજાનારો ઉદ્‌ઘાટન સમારંભ

આદિવાસી મહિલાઓના કૌશલ્‍ય વિકાસ માટે ડેરી ફાર્મિંગ, પોલ્‍ટ્રી ફાર્મિંગ, ટેલરિંગ, આટા-ચક્કી, બેકરી વગેરેની અપાનારી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ ઉજવણીના બીજા વર્ષના ભાગરૂપે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીએ સેલવાસના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓ માટે એક આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટના અમલીકરણનો નિર્ણય કર્યો છે. જેનું ઉદ્‌ઘાટન 26મી મે, 2023ના શુક્રવારના રોજ ખડોલીના કોમ્‍યુનિટી હોલ ખાતે સવારે 11.00 વાગ્‍યે દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ અને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માની ઉપસ્‍થિતિમાં થનાર છે.
આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય 7પ આદિવાસી મહિલાઓના કૌશલ્‍ય વિકાસ કરી તેમના માટેવૈકલ્‍પિક આવકના વિકલ્‍પો ઉભા કરવા ડેરી ફાર્મિંગ, પોલ્‍ટ્રી ફાર્મિંગ, ટેલરિંગ, આટા-ચક્કી, બેકરી વગેરેની તાલીમ આપવામાં આવશે. આ પ્રોજેક્‍ટ સ્‍થાનિક વહીવટી તંત્ર અને ગ્રામીણ ટ્રસ્‍ટ (અમલીકરણ સંસ્‍થા)ની ભાગીદારીથી કરવામાં આવશે. સાથે સાથે ગીર ગાયોના ઉછેર ઉપર પણ વિશેષ ભાર આપી આજીવિકા પ્રોજેક્‍ટ અંતર્ગત જાગૃતિ અને પ્રોજેક્‍ટના ઉદ્‌ઘાટનનો કાર્યક્રમ 26મી મે, 2023ના રોજ ખડોલીના કોમ્‍યુનિટી હોલ ખાતે સવારે 11 વાગ્‍યે રાખવામાં આવેલ છે.

Related posts

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

સરપંચ કિરીટભાઈ મીટનાની અધ્‍યક્ષતામાં આયોજીત વરકુંડ પંચાયતની ગ્રામસભામાં ગામતળાવનું બ્‍યુટીફિકેશન-ફેન્‍સિંગ તથા પાણીની સમસ્‍યાનો ચર્ચાયેલો મુદ્દો

vartmanpravah

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

Leave a Comment