March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખ અને દાનહ જિ.પં.ના સીઈઓ ડો. અપૂર્વ શર્માની ઉપસ્‍થિતિમાં શુક્રવારે ખડોલીના કોમ્‍યુનિટી હોલ ખાતે યોજાનારો ઉદ્‌ઘાટન સમારંભ

આદિવાસી મહિલાઓના કૌશલ્‍ય વિકાસ માટે ડેરી ફાર્મિંગ, પોલ્‍ટ્રી ફાર્મિંગ, ટેલરિંગ, આટા-ચક્કી, બેકરી વગેરેની અપાનારી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ ઉજવણીના બીજા વર્ષના ભાગરૂપે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીએ સેલવાસના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓ માટે એક આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટના અમલીકરણનો નિર્ણય કર્યો છે. જેનું ઉદ્‌ઘાટન 26મી મે, 2023ના શુક્રવારના રોજ ખડોલીના કોમ્‍યુનિટી હોલ ખાતે સવારે 11.00 વાગ્‍યે દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ અને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માની ઉપસ્‍થિતિમાં થનાર છે.
આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય 7પ આદિવાસી મહિલાઓના કૌશલ્‍ય વિકાસ કરી તેમના માટેવૈકલ્‍પિક આવકના વિકલ્‍પો ઉભા કરવા ડેરી ફાર્મિંગ, પોલ્‍ટ્રી ફાર્મિંગ, ટેલરિંગ, આટા-ચક્કી, બેકરી વગેરેની તાલીમ આપવામાં આવશે. આ પ્રોજેક્‍ટ સ્‍થાનિક વહીવટી તંત્ર અને ગ્રામીણ ટ્રસ્‍ટ (અમલીકરણ સંસ્‍થા)ની ભાગીદારીથી કરવામાં આવશે. સાથે સાથે ગીર ગાયોના ઉછેર ઉપર પણ વિશેષ ભાર આપી આજીવિકા પ્રોજેક્‍ટ અંતર્ગત જાગૃતિ અને પ્રોજેક્‍ટના ઉદ્‌ઘાટનનો કાર્યક્રમ 26મી મે, 2023ના રોજ ખડોલીના કોમ્‍યુનિટી હોલ ખાતે સવારે 11 વાગ્‍યે રાખવામાં આવેલ છે.

Related posts

દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર બે વર્ષ પહેલાં નશાની હાલતમાં તેજ ગતિ અને લાપરવાહીથી વાહન ચલાવનાર ચાલકને 7 વર્ષની કેદની સજા: દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેએ આપેલો ચુકાદો

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ સ્‍માર્ટ મિટરનો વિરોધ કરાયો : કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

28મી ઓગસ્‍ટ, 2003ના પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોની યાદમાં મોટી દમણ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું કરેલું લોકાર્પણ

vartmanpravah

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah

Leave a Comment