December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી એરોકેર કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

પ્રતિકાત્મક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના નરોલી ગામ સ્‍થિત એક કંપનીમાં કામ કરતા કર્મચારીએ કંપનીના રૂમમાં જ કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હોવાની ઘટના બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિનય તિવારી (ઉ.વ.37) રહેવાસી એરોકેર કંપનીના રૂમ, નવા ફળિયા, નરોલી ખાતે રહેતા અને મૂળ રહેવાસી બિહાર જે એના રૂમ પાર્ટનર સાથે રહેતો હતો. એનો રૂમ પાર્ટનર જ્‍યારે સવારે નોકરી પરથી આવ્‍યો ત્‍યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો તેથી તેણે દરવાજો ખખડાવ્‍યો પણ દરવાજો ન ખોલતા આજુબાજુમાં રહેતા લોકોને બોલાવી રૂમનો દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કરીને જોતા વિનય તિવારી ગળે ફાંસો લગાવેલી હાલતમાં જોવા મળ્‍યો હતો. જેથી તાત્‍કાલિકપોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઈ. શ્રી સુરજ રાઉત અને એમની ટીમ સ્‍થળ ઉપર પહોંચી ઘઠના અંગેની જાણકારી મેળવી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસ ખાતેની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી દેવામાં આવી હતી. મૃતક મંગળવારના રોજ સાંજે કંપનીમાંથી નોકરી પરથી છુટી પોતાના રૂમ પર આવ્‍યો હતો અને કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. પોલીસે ઘટના અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

નરોલી ચેકપોસ્‍ટ નજીક ટેમ્‍પોમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર મધરાતે ટ્રક પલટી મારી જતા પારડી-વલસાડ સુધી ટ્રાફિક જામ : વાહનોની કતાર

vartmanpravah

વલસાડના ઓવાડાના સોલંકી પરિવારને ડૉ. આંબેડકર આવાસ યોજનાથી મળ્‍યો નવો આશરો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

vartmanpravah

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment