August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી એરોકેર કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

પ્રતિકાત્મક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના નરોલી ગામ સ્‍થિત એક કંપનીમાં કામ કરતા કર્મચારીએ કંપનીના રૂમમાં જ કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હોવાની ઘટના બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિનય તિવારી (ઉ.વ.37) રહેવાસી એરોકેર કંપનીના રૂમ, નવા ફળિયા, નરોલી ખાતે રહેતા અને મૂળ રહેવાસી બિહાર જે એના રૂમ પાર્ટનર સાથે રહેતો હતો. એનો રૂમ પાર્ટનર જ્‍યારે સવારે નોકરી પરથી આવ્‍યો ત્‍યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો તેથી તેણે દરવાજો ખખડાવ્‍યો પણ દરવાજો ન ખોલતા આજુબાજુમાં રહેતા લોકોને બોલાવી રૂમનો દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કરીને જોતા વિનય તિવારી ગળે ફાંસો લગાવેલી હાલતમાં જોવા મળ્‍યો હતો. જેથી તાત્‍કાલિકપોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઈ. શ્રી સુરજ રાઉત અને એમની ટીમ સ્‍થળ ઉપર પહોંચી ઘઠના અંગેની જાણકારી મેળવી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસ ખાતેની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી દેવામાં આવી હતી. મૃતક મંગળવારના રોજ સાંજે કંપનીમાંથી નોકરી પરથી છુટી પોતાના રૂમ પર આવ્‍યો હતો અને કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. પોલીસે ઘટના અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલ

vartmanpravah

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment