March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.25: ચીખલી તાલુકાના કુકેરી ગામની શાંતાબા વિદ્યાલયનું ધોરણ-10 નું 71.21 ટકા પરિણામ જાહેર થયું હતું. શાળામાં પાયલબેન રવીન્‍દ્રભાઈ પટેલ 87.67 ટકા સાથે શાળા કક્ષાએ પ્રથમ આવી હતી. સરકારની ગ્રાંટ વિનાદાતાઓના સહયોગથી રહેવા જમવાની વિનામૂલ્‍યે સગવડ સાથે આધુનિક શિક્ષણ પૂરું પાડતી કુકેરીની શાંતાબા વિદ્યાલયનો ચાલુ વર્ષે પણ પરિણામમાં ઉતકુષ્ટ દેખાવ રહ્યો હતો. સંસ્‍થાના કર્તાહર્તા પરિમલસિંહ પરમારે તમામ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા.
તલાવચોરા હાઈસ્‍કૂલનું 59.10 ટકા જેટલા પરિણામમાં મનન લાડ 89.00 ટકા સાથે શાળામાં પ્રથમ, ધર્મીકુમાર લાડ 87.05 ટકા સાથે બીજા જ્‍યારે આર્ચી પટેલ અને ખુશી પટેલ 86.33 સાથે ત્રીજા ક્રમે આવી હતી. ચીખલીની ઈટાલીયા હાઈસ્‍કૂલનું 46.03 પરિણામમાં જૈની પટેલ 88.17 ટકા સાથે પ્રથમ શ્વેતાબેન પ્રજાપતિ 85.50 ટકા સાથે બીજા ક્રમે જ્‍યારે યાત્રી પરમાર 83.50 ટકા સાથે ત્રીજા ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
સમરોલીની શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલનું 100 ટકા પરિણામ જાહેર થતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. જેમાં દેવાંશી પટેલ 98.23 પર્સન્‍ટાઈલ રેંક સાથે પ્રથમ, જેની પટેલ 94.00 ટકા સાથે બીજા ક્રમે આવી હતી. સંસ્‍થાના પ્રમુખ સ્‍વામી ઘનશ્‍યામ પ્રકાશ દાસજીએ તમામ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા.
રૂમલાની જાગૃતિ વિદ્યાલયનું 54 ટકા જેટલું પરિણામ આવતા મેહરકુમારી 95.06 પીઆર સાથે પ્રથમ, વિશ્રુતિકુમારી 93.29 પીઆર સાથે બીજા ક્રમે આવી હતી. તમામ વિદ્યાર્થીઓને મંડળના પ્રમુખધેલાભાઈ, ઉપ પ્રમુખ નરેશભાઈ સહિતનાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.
બામણવેલની નવ નિર્માણ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના 42.11 ટકા જેટલા પરિણામમાં નેન્‍સી પટેલ 79.67 ટકા સાથે પ્રથમ, મિતાલિબેન રાઠોડ 71.67 ટકા સાથે બીજા ક્રમે. જ્‍યારે મહેન્‍દ્ર જાદવ 68.67 ટકા સાથે ત્રીજા ક્રમે આવ્‍યો હતો.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

ખેતીવાડી વિભાગના એક અધિકારીના મેળાપીપણામાં ચીખલીમાં ચોપડે ખેડૂતોના નામે ઉધારી સબસીડીયુક્‍ત યુરિયા ખાતરનું મોટાપાયે વાપી, સેલવાસ, બીલીમોરા, દમણ સહિતના ઔદ્યોગિક વિસ્‍તારમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઉઠેલી ફરિયાદ

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

Leave a Comment