વી.એચ.પી.ને 60 વર્ષ પુરા થતા ષષ્ઠીપૂષ્ઠીની ઉજવણી ચાલી રહી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી છીરીમાં સોમવારે સાંજે પોલીસ ચોકી સામે વિશ્વ હિન્દુ પરિષદ (વી.એચ.પી.) અને બજરંગ દળનું વિરાટ સંમેલન યોજાયું હતું. જે રાષ્ટ્રીય અને પ્રદેશ આગેવાનો પ્રવક્તા ઉપસ્થિત રહ્યા હતા.
હનુમાન ચાલીસા તથા ભગવાન શ્રી રામની આરતી સાથે સંમેલનનો પ્રારંભ થયો હતો. મુખ્ય વક્તા તરીકે ધર્મ પ્રચારક ધર્મેન્દ્ર ભવાની, વી.એચ.પી. વલસાડ જિલ્લા ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ, સલવાવ ગુરુકુળના કપિલ સ્વામી વી.એચ.પી. રાકેશ રાણા, બજરંગ દળ સંયોજક આકાશ, રાકેશ રાણા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પુર્ણ થયા હોવાથી ષષ્ઠીપૂર્તિની ઉજવણી વી.એચ.પી. કરી રહી છે તે અનુસંધાન માતે છીરીમાં વિરાટ હિન્દુસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે ઉદ્દબોધન કર્યું હતું.