April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી પરીક્ષાનું તારીખ 25.05.23 ગુરુવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, સલવાવના 78 જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ધોરણ 10 ગુજરાતી માધ્‍યમમાં 30 વિદ્યાર્થીઓમાંથી સમીક્ષા આર. ઉપાધ્‍યાય 95 ટકા સાથે પ્રથમ ક્રમે, હાર્દી વી. હડાની 94.17 ટકા સાથે બીજા ક્રમે અને યાના બી. પટેલ 90.17 ટકા સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ રહી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે.
એજ રીતે અંગ્રેજી માધ્‍યમમાં 48 વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. જેમાં શુભાંગીકુમારી આર. ચૌધરી 86.83 ટકા સાથે પ્રથમ ક્રમે, હિતાક્ષ એ.કાછડીયા 82.66 ટકા સાથે બીજા ક્રમે, નેત્રા બી. ચાવડા અને ઝીલ કે. પંડ્‍યા 82.17 ટકા સાથે ત્રીજા ક્રમે આવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આવી ઝળહળતી સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણી કપિલ જીવનદાસજી, પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડિયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી શ્રીમતી રીનાબહેન દેસાઈ અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

વલસાડના યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

આજે દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવને આનંદ-ઉલ્લાસથી ઉજવાશે

vartmanpravah

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

Leave a Comment