Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડ

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.28
લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા નવનિર્વારિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા તેના વિરોધમાં ભાજપા દ્વારા ચીખલીમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
ભારતનીઅસ્‍મિતાને લાંછન લાગે તેવું કૃત્‍ય આજે લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્‍યું હતું. કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી માટે રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્‍ની જેવા અશોભનીય શબ્‍દોનો પ્રયોગ ઈરાદાપૂર્વક કર્યો હતો અને ત્‍યાર પછી તેની ખૂબ ટીકાઓ સંસદમાં થઈ હતી. કારણ કે, કોંગ્રેસ પાર્ટીના નેતા એટલી હદે છકી ગયા છે કે તેઓ આપણાં સર્વોચ્‍ય પદની ગરિમા પણ રાખી નથી શકતા જે બાબત ખુબજ અપમાનજનક છે અને આવા શબ્‍દોનો ઈરાદાપૂર્વક પ્રયોગ કરી આદિવાસી સમાજનું પણ અપમાન કર્યું છે. તેના વિરોધમાં આજે સાંજે 5 કલાકે ચીખલીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ચીખલી બસ ડેપોની સામે સર્કલ પાસે રાખવામાં આવ્‍યો હતો. આ દરમિયાન ચીખલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને સૂત્રોચ્‍ચાર કરી વિરોધ પ્રદર્શનો કરી કોંગ્રેસની હરકતોને વખોડી હતી.

Related posts

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ડ્રોઈંગ સ્‍પધાનું આયોજન કરાયું

vartmanpravah

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ડિસ્‍ટ્રીક્‍ટ વોટર એન્‍ડ સેનિટેશન મિશનની બેઠક મળી

vartmanpravah

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah

Leave a Comment