Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

આજે વોર્ડ નં. 14 અને 02માં ન.પા.ના સી.ઓ., સ્‍ટાફ તથા જે તે વોર્ડના કાઉન્‍સિલરોને સાથે રાખી શહેરીજનોની સમસ્‍યાથી રૂબરૂ થશેઃ શહેરના થઈ રહેલા વિકાસની પણ માહિતી આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ તરીકે અખત્‍યાર સંભાળતાં જ શ્રી અસ્‍પી દમણિયાએ લોકોની સમસ્‍યા જાણવા અને વિકાસ સાથે જોડવા આવતી કાલથી પાલિકાના દરેક વોર્ડમાં ‘જન સંપર્ક અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આવતી કાલે સવારે 10:30કલાકે દમણ શહેરના વોર્ડ નં.14 અને વોર્ડ નં.02થી ‘જન સંપર્ક અભિયાન’ની શરૂઆત કરવામાં આવશે. તેઓ પોતાની સાથે પાલિકાના ચીફ ઓફિસર, જે તે વિસ્‍તારના કાઉન્‍સિલર અને નગરપાલિકાના સ્‍ટાફને સાથે રાખી પગપાળા ભ્રમણ કરશે અને લોકોને મળી તેમની સમસ્‍યાની જાણકારી મેળવશે અને થઈ રહેલા વિકાસની બાબતમાં પણ શહેરીજનોને માહિતગાર કશે.
દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયાએ પાલિકાના ફિલ્‍ડ સ્‍ટાફ દ્વારા ઘર ઘર જઈ પત્રિકા દ્વારા સંબંધિત અભિયાનની જાણકારી પણ આપી છે, જેના કારણે લોકો આ અભિયાનમાં જોડાઈને પોતાના વિસ્‍તારની સમસ્‍યાની રજૂઆત સરળતાથી કરી શકશે.
દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયાએ શરૂ કરેલા અભિયાનની શહેરીજનો ઉપર કેવી અસર થાય તે આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થઈ જશે.

Related posts

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ પુસ્‍તકાલયમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ તેમજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

vartmanpravah

ગુજરાતમાંથી સીકેનાયડુ ટ્રોફી માટે દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિની પસંદગી.

vartmanpravah

Leave a Comment