August 31, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

સંઘપ્રદેશના શિક્ષણ સચિવે ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડો. નિલેશ પંડયા સાથે ભાવિ શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે પણ કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ તથા ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી સેલવાસ ખાતે આયોજીત સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’માં આજે સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે ઉપસ્‍થિત રહી બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને ભાવિ શિક્ષણ માટે પ્રેરિત પણ કર્યા હતા.
1 જૂનથી 6 જૂન, 2023 સુધી આયોજીત આ સમર કેમ્‍પ ‘કલામતૃમ્‌’માં દાદરા નગર હવેલીની વિવિધ વિદ્યાલયોના ધોરણ 6 થી 8ના લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ કૌશલ્‍યોનું પ્રવૃત્તિમય શિક્ષણ મેળવી રહ્યા છે.
આજે સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે મુલાકાત લઈ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, શિક્ષણ વિભાગ આવા અનેક વિવિધ પ્રયાસોના માધ્‍યમથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા પ્રતિબધ્‍ધ છે. તેમણે ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડો. નિલેશ પંડયા સાથે પણ ભાવિ શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે ચર્ચા-વિચારણાં પણ કરી હતી.

Related posts

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment