March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પ્રભાવી માર્ગદર્શન હેઠળ 1લી જૂનથી પ્રદેશમાં શરૂ થયેલ વ્‍યાપક પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણ 2023ના કાર્યક્રમનું ગ્રાઉન્‍ડ ઝીરો ઉપર નિરીક્ષણ કરવા માટે પ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી.એ શનિવારે સર્વેક્ષણ સ્‍થળની મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી.એ શનિવારે કચીગામના ધોડિયાવાડ ખાતે પહોંચી સર્વેક્ષણ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-વિચારણાં કરી હતી. તેમણે દરેક સર્વેક્ષણની વર્તમાન સ્‍થિતિની પણ જાણકારી લીધી હતી.
દરમિયાન આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી.એ ગામલોકો સાથે પણ ચર્ચા કરતા જણાવ્‍યું હતું કે, સર્વેક્ષણ આપણાં લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવાવાળી નીતિઓ અને કાર્યક્રમોના વિકાસ માટે ખુબ જ આવશ્‍યક છે. તેથી આમહત્‍વપૂર્ણ પહેલમાં સક્રિય ભાગીદારી સાથે પ્રશાસનના આ સર્વેક્ષણ અભિયાનને સફળ બનાવવા જોડાવા હાકલ કરી હતી.
આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી.એ જણાવ્‍યું હતું કે, આ સર્વેક્ષણના સંદર્ભમાં જો કોઈ માહિતી ફરિયાદ કે વધુ જાણકારીની જરૂરિયાત હોય તો ટોલ ફ્રી નંબર 104 ઉપર સંપર્ક પણ કરી શકે છે. આ મુલાકાતનો ઉદ્દેશ કચીગામ વિસ્‍તારમાં આરોગ્‍ય સર્વેક્ષણની ગુણવત્તાનું નિરીક્ષણ અને સર્વેક્ષણના સુપરવિઝનનું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન વ્‍યાપક પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણ 2023ની સફળતાને સુનિヘતિ કરવા માટે પ્રતિબધ્‍ધ છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ સંઘપ્રદેશમાં વિવિધ આરોગ્‍ય સમસ્‍યાની ઓળખ કરી આરોગ્‍ય સેવા લોકો સુધી પહોંચાડવા અને સંઘપ્રદેશની સમગ્ર આરોગ્‍ય સેવા પ્રણાલીથી સંબંધિત ડેટા એકત્રિત કરવાનો છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment