October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

દમણ દાભેલના સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ અને સ્‍વ. રૂખીબેન ભગવાનભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા કરાયેલું ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : પવિત્ર ચૈત્ર નવરાત્રિમાં નાની દમણ દાભેલ ખાતે પિતા સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ તથા માતા સ્‍વ. રૂખીબેન ભગવાનજીભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન 22મી માર્ચથી 28મી માર્ચ સુધી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ(ખેરગામવાળા)ના સાંનિધ્‍યમાં કરવામાં આવી રહ્યું છે.
કથાના મુખ્‍ય યજમાન તરીકે શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી દિપકભાઈ કાલીદાસભાઈ પટેલ દ્વારા લ્‍હાવો લેવામાં આવશે. કથામાં દરરોજ માતાજીના પ્રસંગોની ભવ્‍ય રીતે ઉજવણી કરાશે. કથાનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો છે. કથામાં પધારવા માટે પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ દ્વારા ભાવિક ભક્‍તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલી પોલીસે બારોલીયાથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો : 3 વોન્‍ટેડ

vartmanpravah

ઘોર લાપરવાહી…. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખવાળો ગ્લુકોઝનો બોટલ ચઢાવાયો

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

‘નગરપાલિકા આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દમણ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા અને ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત કર્મચારીઓએ ઘાંચીવાડમાં કરેલો જનસંપર્ક

vartmanpravah

દમણમાં જિલ્લા પ્રશાસને બીચ, જાહેર સ્‍થળો પર તપાસ આદરી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, તમાકુ, દારૂનું સેવન અને વેચાણ કરનારાઓ પાસેથી વસૂલવામાં આવ્‍યો દંડ

vartmanpravah

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment