દમણ દાભેલના સ્વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ અને સ્વ. રૂખીબેન ભગવાનભાઈ પટેલના સ્મરણાર્થે તેમના સંતાનો દ્વારા કરાયેલું ભાગવત કથાનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : પવિત્ર ચૈત્ર નવરાત્રિમાં નાની દમણ દાભેલ ખાતે પિતા સ્વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ તથા માતા સ્વ. રૂખીબેન ભગવાનજીભાઈ પટેલના સ્મરણાર્થે તેમના સંતાનો દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન 22મી માર્ચથી 28મી માર્ચ સુધી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ(ખેરગામવાળા)ના સાંનિધ્યમાં કરવામાં આવી રહ્યું છે.
કથાના મુખ્ય યજમાન તરીકે શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી દિપકભાઈ કાલીદાસભાઈ પટેલ દ્વારા લ્હાવો લેવામાં આવશે. કથામાં દરરોજ માતાજીના પ્રસંગોની ભવ્ય રીતે ઉજવણી કરાશે. કથાનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કથામાં પધારવા માટે પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ દ્વારા ભાવિક ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.