Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

દમણ દાભેલના સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ અને સ્‍વ. રૂખીબેન ભગવાનભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા કરાયેલું ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : પવિત્ર ચૈત્ર નવરાત્રિમાં નાની દમણ દાભેલ ખાતે પિતા સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ તથા માતા સ્‍વ. રૂખીબેન ભગવાનજીભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન 22મી માર્ચથી 28મી માર્ચ સુધી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ(ખેરગામવાળા)ના સાંનિધ્‍યમાં કરવામાં આવી રહ્યું છે.
કથાના મુખ્‍ય યજમાન તરીકે શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી દિપકભાઈ કાલીદાસભાઈ પટેલ દ્વારા લ્‍હાવો લેવામાં આવશે. કથામાં દરરોજ માતાજીના પ્રસંગોની ભવ્‍ય રીતે ઉજવણી કરાશે. કથાનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો છે. કથામાં પધારવા માટે પ.પૂ. મેહુલભાઈ જાની બાપુ દ્વારા ભાવિક ભક્‍તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

વાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

Leave a Comment