December 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

 – સંજય તાડા દ્વારા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ટુકવાડા ગામે આવેલ સાવરમાળ ફળિયામાં આદિવાસીની પરંપરાગત ભોવાડાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારમાં 52 દેવી-દેવતાઓના મુગટો સાથે અને મુગટો પહેરીને નાચગાન સાથે ઉજવણી કરવામાં આવે છે. કપરાડાના ટુકવાડા ગામે ઉજવવામાં આવેલ આ તહેવાર ત્રણ દિવસ રાખવામાં આવે છે. સાંજના સમયે 8 વાગે શરૂઆત કરી સવારના 6:00 વાગ્‍યા સુધી આ પ્રોગ્રામ ચાલે છે. સૌપ્રથમ નારાયણદેવ અને પૂજાપાઠ કરે. નારાયણ દેવની પૂજાપાઠ કર્યા બાદ નાના બાળકો દ્વારા શરૂઆત કરવામાં આવે છે. અહીંયા 52 દેવી-દેવતાઓના મુગટ સાથે એક એક કળતિ કરીને સવારે 06:00 વાગ્‍યા સુધી આ પ્રોગ્રામ નિહાળવામાં આવે છે. રાતના સમયે મસાલ સળગાવીને એક એક કળતિ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. કળતિઓ જોવા આજુબાજુ ગામના લોકો એમના દર્શન માટે ઉમટી પડતા હોય છે. અહીંના આદિવાસી સમાજના લોકો અનેક બાધાઓ રાખે કે સમાજમાં કોઈ દુઃખ ન આવે સંકટથી બચાવે અને ખેતી જેવા પાકોમાં બરકત થાય અને કેટલીક મહિલાઓ પણ જેમને નીસંતાન હોય તેઓ સંતાન માટે બાધાઓ રાખતા હોય છે. ચોમાસા પહેલા રાખવામાં આવેલ આ ભોવાડાનો તહેવાર ખેતીનો પાક સારો થાય વરસાદ સારો થાય તે માટે અહીંના આદિવાસી સમાજના લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. અહીંયા શંકર ભગવાન, ગણેશજી, રામ-સીતા-લક્ષ્મણ, કળષ્‍ણ ભગવાન જેવા તમામ ભગવાનના મુગટો બનાવી અને એ મુગટો માથામાં પહેરીને એક એક કળતિ કરીને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય અને લાયબ્રેરીની મુલાકાત લેતા ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્‍કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્‍પામાં ભરી ગયા

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

Leave a Comment