June 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સેલવાસના હોરીઝોન હાઈટ્‍સ રેસિડન્‍ટ એસોસિએશન કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાના વિરોધમાં જિલ્લા કલેક્‍ટર અને નગરપાલિકા તથા પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રહિશોએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા મુજબ અમારી સોસાયટીના અંતર્ગત એક શોપમાં સોસાયટીની અનુમતિ વગર વાઇનશોપનો વ્‍યવસાય ચાલુ કરવામાં આવી રહ્યો છે, જે સોસાયટીના મુખ્‍ય ગેટ નજીક છે. આ સંદર્ભે સોસાયટી દ્વારા અગાઉ પણ આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. મુખ્‍ય ગેટ પાસે દારૂની દુકાન આવવાથી સોસાયટીમાં રહેતા પરિવાર અને આજુબાજુના પરિવારો પર નકારાત્‍મક પ્રભાવ પડશે. આ દરેક પરિવારના બાળકો, વડીલ લોકો અને મહિલાઓ માટે ઘણી પીડાદાયક છે સાથે જ નજીકમાં રહેતા યુવા પેઢી માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. જે કારણથી સોસાયટીના ફલેટ અને દુકાનો તથા આસપાસની પ્રોપર્ટીનું મૂલ્‍યાંકન પણ ઓછું થઈ જશે, કારણ કે દારૂની દુકાનની આજુબાજુ કોઈપણ પરિવાર સાથે રહી શકે નહીં. અમારી સોસાયટીની સામે ભગવાન શ્રી હનુમાન મંદિર છે એવાપાવન ધાર્મિક જગ્‍યાની આજુબાજુ દારૂની દુકાન રહેવી જરા પણ ઉચિત નથી. તેથી આપને નિવેદન છે કે અમારા પરિવારની દરેક પ્રકારની સામાજીક અને આર્થિક સુરક્ષા, આરોગ્‍યને ધ્‍યાનમાં રાખી યોગ્‍ય કાર્યવાહી કરી આ વાઇનશોપને તાકિદે બંધ કરાવવામાં આવે અને સોસાયટી તથા આજુબાજુના પરિવારોના બાળકો વડીલો અને મહિલાઓને સુરક્ષિત કરવામાં આવે.

Related posts

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બીચ સાઈડ નાઈટ મેરેથોન : સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભા અને ડાયરેક્‍ટર જતિન ગોયલે લીલી ઝંડી બતાવી કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

Leave a Comment