April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સેલવાસના હોરીઝોન હાઈટ્‍સ રેસિડન્‍ટ એસોસિએશન કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાના વિરોધમાં જિલ્લા કલેક્‍ટર અને નગરપાલિકા તથા પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રહિશોએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા મુજબ અમારી સોસાયટીના અંતર્ગત એક શોપમાં સોસાયટીની અનુમતિ વગર વાઇનશોપનો વ્‍યવસાય ચાલુ કરવામાં આવી રહ્યો છે, જે સોસાયટીના મુખ્‍ય ગેટ નજીક છે. આ સંદર્ભે સોસાયટી દ્વારા અગાઉ પણ આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. મુખ્‍ય ગેટ પાસે દારૂની દુકાન આવવાથી સોસાયટીમાં રહેતા પરિવાર અને આજુબાજુના પરિવારો પર નકારાત્‍મક પ્રભાવ પડશે. આ દરેક પરિવારના બાળકો, વડીલ લોકો અને મહિલાઓ માટે ઘણી પીડાદાયક છે સાથે જ નજીકમાં રહેતા યુવા પેઢી માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. જે કારણથી સોસાયટીના ફલેટ અને દુકાનો તથા આસપાસની પ્રોપર્ટીનું મૂલ્‍યાંકન પણ ઓછું થઈ જશે, કારણ કે દારૂની દુકાનની આજુબાજુ કોઈપણ પરિવાર સાથે રહી શકે નહીં. અમારી સોસાયટીની સામે ભગવાન શ્રી હનુમાન મંદિર છે એવાપાવન ધાર્મિક જગ્‍યાની આજુબાજુ દારૂની દુકાન રહેવી જરા પણ ઉચિત નથી. તેથી આપને નિવેદન છે કે અમારા પરિવારની દરેક પ્રકારની સામાજીક અને આર્થિક સુરક્ષા, આરોગ્‍યને ધ્‍યાનમાં રાખી યોગ્‍ય કાર્યવાહી કરી આ વાઇનશોપને તાકિદે બંધ કરાવવામાં આવે અને સોસાયટી તથા આજુબાજુના પરિવારોના બાળકો વડીલો અને મહિલાઓને સુરક્ષિત કરવામાં આવે.

Related posts

વલસાડ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૮ પૈકી ૨૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

vartmanpravah

જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સંભળાવેલો ચુકાદો : લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ સહિત 4ને હત્‍યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની સજાઃ પ્રત્‍યેકને રૂા.1-1 લાખનો દંડ

vartmanpravah

17મી સપ્‍ટેમ્‍બરે ‘આંતરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ઉપક્રમે યોજાનારા જમ્‍પોર અને દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે  દમણમાં 20 હજારથી વધુ લોકો બીચની સફાઈ માટે જોડાશેઃ સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડ દ્વારા અપાયેલો આખરી ઓપ

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

યુનેસ્‍કો પ્રેરિત એઆરસી એડટેક સંસ્‍થા દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલને ગ્‍લોબલ સસ્‍ટેનેબિલિટી એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

Leave a Comment