Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06: પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને દીવ જિલ્લા કલેકટર શ્રી બ્રમ્‍હાના નેતૃત્‍વ હેઠળ તા.01 જૂન 2023 ના રોજથી ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયેલ છે. જેમાં દીવ જિલ્લાના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને દીવ જિલ્લાના લોકો આ સર્વેમાં પોતાના ઘરના સભ્‍યોની માહિતી આપી રહ્યા છે.


આ સર્વે અંતર્ગત આજરોજ તા.06 જૂન 2023 ના રોજ દીવ જિલ્લા કલેકટર શ્રી બ્રમ્‍હાદ્વારા સર્વે કામગીરીની મુલાકાત લેવામાં આવી હતી. કલેકટર શ્રી બ્રમ્‍હા દીવ શહેરમાં એટલે કે અર્બન અરિયામાં ચાલી રહેલ ઈવનીંગ સેસનના સર્વે કરતા કમચારી/વોલેન્‍ટીયર સાથે રહીને ઓનલાઈન સર્વે માટે માર્ગદર્શન અને દિશા સુચન આપ્‍યા, તેમજ સર્વે કાર્યમાં જોડાયેલ તમામ કમચારી/વોલેન્‍ટીયરને પ્રોત્‍સાહિત કર્યા. તેમજ કલેકટરશ્રી, દીવ જિલ્લાના નાગરિકો સાથે પણ રૂબરૂ થયા અને દીવ જિલ્લાના નાગરીકોને આ સર્વેમાં વધુમાં વધુ સહયોગ આપવા અનુરોધ કર્યો અને દરેક નાગરિકોને આસ્‍વાશન આપ્‍યું કે તમામ ઓનલાઈન માહિતી સરકાર દ્વારા ગુપ્ત રાખવામાં આવશે. તેથી દીવ જિલ્લાના નાગરિકો અને રહીશો આવનાર દિવસોમાં પોતાના ઘરના સભ્‍યોની માહિતી, આધારકાર્ડ અને મોબાઈલ નંબર, આ ડિજિટલ માધ્‍યમથી મોબાઈલ એપ દ્વારા નિヘતિંપણે અને ગભરાયા વિના આ સર્વે કરતા કર્મચારીને આપે. નાગરીકોના આધારકાર્ડ અને મોબાઈલ નંબર સરકાર દ્વારા ગોપનીય રાખવામાં આવશે. તેમજ કલેકટરશ્રી દ્વારા વધુમાં જાણવામાં આવ્‍યું કે, આ તમામ માહિતીનો ઉપયોગ દીવ જિલ્લાના નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરવામાં આવશે તેમજ દીવ જિલ્લાને ડિજિટલ અને આધુનિક સ્‍વરૂપ આપવા મદદરૂપ થશે.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્‍ટના વિષય ઉપર ગેસ્‍ટ લેકચર યોજાયો

vartmanpravah

Leave a Comment