Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

18 કાયમી સહિત ઉભી કરાયેલ 38 ચેકપોસ્‍ટ પર સઘન ચેકીંગ શરૂ :
ગત વર્ષે 1920 એ જેલયાત્રા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: થર્ટીફસ્‍ટ આવવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્‍યારે વલસાડ જિલ્લા પોલીસે થર્ટીફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે જિલ્લા સરહદોમાં પ્રવેશસો ત્‍યારે પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ સહિત મશીનથી દારૂ સેવનનું ચેકીંગ કરશે. જો કસુરવાર ઠરશો તો પોલીસ સ્‍વાગત કરી જેલની યાત્રા કરાવશે તેવો તખ્‍તો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગોઠવાઈ ચુક્‍યો છે અને તેનો અમલ તા.28 ડિસેમ્‍બરથી 31 ડિસેમ્‍બર સુધી કડકપણે થશે તેથી સાવધાન જરૂરી લેખાવાશે.
વલસાડ જિલ્લા પોલીસ પ્રતિ વર્ષે થર્ટીફસ્‍ટની ઉજવણીમાં દારૂનું સેવન કરવા વાળા કે હેરાફેરી કરવા વાળા સામે કડક કાર્યવાહી કરે છે. ગત વર્ષે પોલીસની આવી કાર્યવાહી 1920 સામે થઈ હતી. તમામ જેલ ભેગા કરાયા હતા. જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલાએ જણાવ્‍યા મુજબ વલસાડ જિલ્લાના તમામ સરહદીવિસ્‍તારોમાં 18 કાયમી સહિત 38 ચેકપોસ્‍ટ કાર્યરત કરી દેવામાં આવી છે ત્‍યાં દારૂ અંગે સઘન ચેકીંગ થશે. સાથે સાથે એસ.આર.પી. તહેનાત કરી દેવાઈ છે. તેમણે વધુમાં ફાર્મ હાઉસમાં પાર્ટીઓના આયોજન કરવાના હોય તો કલેક્‍ટર પાસે જરૂરી પરમિશન મેળવી લેવાની રહેશે. નહીતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિ વર્ષે હજારો પિધેલા પકડાતા હોય છે તેથી આજથી 31 ડિસેમ્‍બર સુધી સાવધાની રાખવા હિતાવહ રહેશે, નહી તો પોલીસની મહેમાનગતિ માણવાની તૈયારી પણ રાખવી પડશે.

Related posts

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસના રીંગ રોડ પર રોકડ સહિત ડોક્‍યુમેન્‍ટની ચોરીની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પોલીસે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

Leave a Comment