Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

છેલ્લા 15 દિવસથી વાપીમાં ભંગારના ગોડાઉનોમાં
આગ લાગવાના સતત બની રહેલા બનાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી રાતા વિસ્‍તારમાં આવેલ ભરતનગરમાં આજે બુધવારે સવારે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. રહેઠાણ વિસ્‍તાર વચ્‍ચે કાર્યરત ભંગારના ગોડાઉનમાં લાગી ઉઠેલી આગથી સ્‍થાનિક રહીશોમાં વ્‍યાપક ગભરાટ પ્રસરી ગયો હતો.
વાપીમાં છેલ્લા પંદર દિવસથી કરવડ, ડુંગરી ફળીયા, ડુંગરા જેવા વિસ્‍તારોમાં રહેઠાણ વિસ્‍તારમાં બેરોકટોક ધમધમી રહેલા ભંગારના ગોડાઉનોમાંએક પછી એક એમ લગાતાર ભિષણ આગ લાગવાના બનાવો બની રહ્યા છે. તેવો વધુ એક બનાવ આજે બન્‍યો હતો. રાતા ભરતનગર વિસ્‍તારમાં અનુપ શર્મા નામના ઈસમના ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. આગના ધુવાડા રાતા ખાડી સુધી જોવા મળતા હતા. નોટીફાઈડ ફાયરની બે ગાડી ઘટના સ્‍થળે ધસી જઈને આગ બુઝાવવાની જહેમત આરંભી હતી. પોલીસે 15 જેટલા ભંગારીયા સામે ફરિયાદ નોંધાવી છે છતાં હજુ આગના બનાવો વણથંભ્‍યા ચાલી રહ્યા છે અને તે પણ મોટાભાગના ગોડાઉનો રહીશી વિસ્‍તારમાં ધમધમે છે ત્‍યારે પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

Related posts

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

vartmanpravah

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment