December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામતાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતનો વિવાદિત વહીવટ ચર્ચાના કેન્‍દ્ર સ્‍થાને છે. ગ્રામસભા કે સામાન્‍ય સભામાં ગ્રામજનો અને ચૂંટાયેલા સભ્‍યો વહીવટ સામે બાયો ચડાવતા જોવા મળી રહ્યા છે. આ મધ્‍યાંતરે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સોળસુંબા માહ્યાવંશી વિસ્‍તારમાં કાર્યરત આંગણવાડી બાળકો માટે અસલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. આંગણવાડી મકાનનું કલર કામ કરવામાં આવ્‍યું છે પરંતુ તૂટેલા બારી બારણાને રીપેર કરવામાં આવ્‍યા નથી.

આ ઉપરાંત આંગણવાડીને અડીને માર્ગ પસાર થયેલો છે જેના ઉપરથી ભારેખમ વાહનોની સતત અવરજવર જોવા મળે છે. જેના કારણે આંગણવાડીના ફરતે કમ્‍પાઉન્‍ડ વોલ બનાવવાની જરૂર છે. આથી વધુ પંચાયતના વહીવટ સાથે સંકળાયેલા વ્‍યક્‍તિએ આંગણવાડીના મેદાનમાં ભારેખમ વાહનોની પાર્કિંગ વ્‍યવસ્‍થા પણ ગેરકાયદેસર ઉભી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ તમામ પ્રવૃત્તિ અને આંગણવાડીનું મકાન જોતા અહીં અભ્‍યાસ માટે આવતા તમામ બાળકો અસુરક્ષિત હોવાનું પ્રથમ નજરે જણાવી રહ્યું છે. આ સમસ્‍યાનું નિવારણ માટે આંગણવાડી સંચાલકોએ સોળસુંબા ગ્રામ પંચાયતનું મૌખિક અને લેખિત ધ્‍યાન દોર્યું છે, પરંતુ સમસ્‍યાનું નિવારણ આવી શકયું નથી. જેના ઉપર જવાબદાર વિભાગે ધ્‍યાન આપવાનીજરૂરિયાત જણાઈ રહી છે.

Related posts

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં દાનહના 71મા મુક્‍તિ દિવસની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં વિજયની હેટ્રિક લગાવી વાત્‍સલ્‍ય વિદ્યાલયે બતાવેલી પોતાની સર્વોપરિતા

vartmanpravah

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

વાપી ઝંડાચોક રોડ ઉપર આરઓબીના લગાવાયેલા બેરીકેટ હટાવાશે : વેપારીઓએ ડીવાયએસપીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment