October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ તાલુકાના પારડી પારનેરા રસ્‍તા પર વાંકી નદી પર આવેલા માઈનોર પુલ પરથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે તાત્‍કાલિક અસરથી પ્રતિબંધ મુકી ડાયવર્ઝનઅંગે જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 (22માં)ની કલમ-33ની પેટા કલમ-1 (બી) અન્‍વયે મળેલી સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડ્‍યું છે.
જે ડાયવર્ઝન મુજબ હવે અટકપારડીથી પારનેરા પારડી વાંકી ફળિયા/સુગર ફેકટરી જવા માટેના વાહનોએ વલસાડ ધરમપુર ચોકડીથી ને.હા.નં.48 થઈ સુગર ફેકટરી થઈ જઈ શકશે. પારનેરા પારડી વાંકી ફળિયાથી અટકપારડી જવા માટેના વાહનોએ સુગર ફેકટરીથી ને.હા.નં.48 થઈ વલસાડ ધરમપુર ચોકડીથી વલસાડ ધરમપુર રોડ થઈ અટકપારડી થઈ જઈ શકાશે. આ હુકમની તારીખથી અન્‍ય હુકમ ન થાય ત્‍યાં સુધી માઈનોર પુલ પરથી અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે જેની જાહેર જનતાએ નોંધ લેવી.
આ સિવાય વલસાડ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેરે પુલના બંને છેડે વાહનો પ્રવેશી ન શકે તે માટે જરૂરી આડશો (બેરીકેટીંગ) કરી બંને છેડે વાહનો માટે પ્રતિબંધના બોર્ડ લગાવવાની વ્‍યવસ્‍થા કરવાની રહેશે તથા સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનેથી જરૂરી ટ્રાફિક નિયમન કરવાની કાર્યવાહી કરવાની રહેશે એવું જાહેરનામામાં જણાવાયું છે.

Related posts

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah

સરીગામની કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળામાં પ્રારંભ કરેલો મેજિક ઇંગ્‍લિશ એસએલએલ કાર્યક્રમ

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

vartmanpravah

Leave a Comment