Vartman Pravah
Breaking NewsOtherવલસાડવાપી

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

જી.પી.સી.બી.એ આઉટલેટ પાણીના સેમ્‍પલ લઈ તપાસ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
વાપી નજીક આવેલા ચંડોરના ગ્રામજનો રવિવારના રોજ દમણગંગા નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા ત્‍યારેનદીમાં મોટા પ્રમાણમાં કેમીકલયુક્‍ત કલરવાળું પાણી જોવા મળ્‍યું હતું તેથી ગ્રામજનોએ સરપંચને જાણ કરી હતી. સરપંચે જી.પી.સી.બી.માં ટેલીફોનિક ફરિયાદ કરીને નદીના કલરયુક્‍ત પાણીની જાણ કરી હતી. તેથી આજે જી.પી.સી.બી.એ પાણીના સેમ્‍પલો લઈને તપાસ હાથ ધરી હતી.
રવિવારે ચંડોર ગામના ગણેશભક્‍તો દમણગંગા નદીમાં વિસર્જન કરવા ગયા હતા. ત્‍યારે નદીનું પાણી મોટા પ્રમાણમાં કલરયુક્‍ત પ્રદુષિત કેમીકલવાળું જોવા મળ્‍યું હતું. તેથી ગામના સરપંચ શ્રી રણજીત પટેલે જી.પી.સી.બી.માં ટેલીફોનિક ફરિયાદ કરી હતી તેથી જી.પી.સી.બી.એ દમણગંગા નદીના પટમાંથી સેમ્‍પલ કલેક્‍ટ કર્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ચોમાસું હોવાથી સી.ઈ.ટી.પી.માંથી ટ્રીટમેન્‍ટ કર્યા સિવાય વરસાદના પાણીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. મોટા મોટા નાળા દ્વારા પ્રદુષિત પાણી દમણગંગા નદીમાં ચંડોરની હદમાં છોડવામાં આવી રહ્યું છે.
સરપંચ શ્રી રણજીત પટેલે જણાવ્‍યું હતું કે, સમયાંતરે ગેરકાયદે કેમીકલયુક્‍ત પાણી છોડવામાં આવે છે. અત્‍યારે ચોમાસામાં તેનો વધારો જોવા મળી રહ્યો છે. આવા કારણોસર ગામના તળીયાના પાણી પણ પ્રદુષિત થઈ રહ્યા છે. જી.પી.સી.બી. દ્વારા માત્ર સેમ્‍પલનું નાટક સાબિત નહી થાય તો સારુંજવાબદાર ઉદ્યોગો વિરૂધ્‍ધ પગલા ભરાશે કે કેમ એ જોવાનું રહ્યું.

Related posts

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

રાનવેરી કલ્લા ગામે અગાઉની બોલાચાલીની અદાવતે બેને માર મરાતા બંને ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા: પોલીસે બનાવમાં ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment