September 9, 2026
Vartman Pravah
Breaking NewsOtherવલસાડવાપી

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

જી.પી.સી.બી.એ આઉટલેટ પાણીના સેમ્‍પલ લઈ તપાસ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
વાપી નજીક આવેલા ચંડોરના ગ્રામજનો રવિવારના રોજ દમણગંગા નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા ત્‍યારેનદીમાં મોટા પ્રમાણમાં કેમીકલયુક્‍ત કલરવાળું પાણી જોવા મળ્‍યું હતું તેથી ગ્રામજનોએ સરપંચને જાણ કરી હતી. સરપંચે જી.પી.સી.બી.માં ટેલીફોનિક ફરિયાદ કરીને નદીના કલરયુક્‍ત પાણીની જાણ કરી હતી. તેથી આજે જી.પી.સી.બી.એ પાણીના સેમ્‍પલો લઈને તપાસ હાથ ધરી હતી.
રવિવારે ચંડોર ગામના ગણેશભક્‍તો દમણગંગા નદીમાં વિસર્જન કરવા ગયા હતા. ત્‍યારે નદીનું પાણી મોટા પ્રમાણમાં કલરયુક્‍ત પ્રદુષિત કેમીકલવાળું જોવા મળ્‍યું હતું. તેથી ગામના સરપંચ શ્રી રણજીત પટેલે જી.પી.સી.બી.માં ટેલીફોનિક ફરિયાદ કરી હતી તેથી જી.પી.સી.બી.એ દમણગંગા નદીના પટમાંથી સેમ્‍પલ કલેક્‍ટ કર્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ચોમાસું હોવાથી સી.ઈ.ટી.પી.માંથી ટ્રીટમેન્‍ટ કર્યા સિવાય વરસાદના પાણીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. મોટા મોટા નાળા દ્વારા પ્રદુષિત પાણી દમણગંગા નદીમાં ચંડોરની હદમાં છોડવામાં આવી રહ્યું છે.
સરપંચ શ્રી રણજીત પટેલે જણાવ્‍યું હતું કે, સમયાંતરે ગેરકાયદે કેમીકલયુક્‍ત પાણી છોડવામાં આવે છે. અત્‍યારે ચોમાસામાં તેનો વધારો જોવા મળી રહ્યો છે. આવા કારણોસર ગામના તળીયાના પાણી પણ પ્રદુષિત થઈ રહ્યા છે. જી.પી.સી.બી. દ્વારા માત્ર સેમ્‍પલનું નાટક સાબિત નહી થાય તો સારુંજવાબદાર ઉદ્યોગો વિરૂધ્‍ધ પગલા ભરાશે કે કેમ એ જોવાનું રહ્યું.

Related posts

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

વલસાડ તિથલ રોડ ઉપરથી ડુપ્‍લિકેટ સોનાના બિસ્‍કીટ-ઘરેણા લઈ શિકારની શોધમાં નિકળેલી ગેંગઝડપાઈ

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

vartmanpravah

Leave a Comment