March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સરકારના યશસ્‍વી નવ વર્ષમાં થયેલ વિકાસ કાર્યોની રૂપરેખાથી સૌને અવગત કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે વાપી,વલસાડમાં પ્રબુધ્‍ધ નાગરિક, વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લા સહિત દેશ, રાજ્‍યમાં કેન્‍દ્રની વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની સરકાર દ્વારા પૂર્ણ કરાયેલ સિમચિન્‍હ રૂપ વિવિધ વિકાસ કાર્યો, દેશ, વિદેશમાં દેશને પ્રથમ હરોળમાં પ્રસ્‍થાપિત કરનાર વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા લેવાયેલ સાહસિક નિર્ણયો વિગેરેની સવિસ્‍તાર માહિતી ઘરે ઘરે પહોંચે એટલા માટે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે વાપી અને વલસાડમાં સમાંતર સંમેલનનું આયોજન કરાયું હતું. વાપી વી.આઈ.એ. હોલમાં અને વલસાડમાં છીપવાડ પ્રજાપતિ હોલમાં ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યા હતા. મુખ્‍ય વક્‍તા તરીકે રાજ્‍યના કેબિનેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને હોદ્દેદારોએ નરેન્‍દ્રભાઈ મોદીના સફળતા પૂર્વકના સુશાસનનની સવિસ્‍તાર માહિતી સાથે 30 મેથી 30 જૂન જનસંપર્ક અભિયાનની જાહેરાત કરાઈ હતી.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

vartmanpravah

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

vartmanpravah

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

vartmanpravah

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

vartmanpravah

Leave a Comment