April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સરકારના યશસ્‍વી નવ વર્ષમાં થયેલ વિકાસ કાર્યોની રૂપરેખાથી સૌને અવગત કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે વાપી,વલસાડમાં પ્રબુધ્‍ધ નાગરિક, વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લા સહિત દેશ, રાજ્‍યમાં કેન્‍દ્રની વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની સરકાર દ્વારા પૂર્ણ કરાયેલ સિમચિન્‍હ રૂપ વિવિધ વિકાસ કાર્યો, દેશ, વિદેશમાં દેશને પ્રથમ હરોળમાં પ્રસ્‍થાપિત કરનાર વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા લેવાયેલ સાહસિક નિર્ણયો વિગેરેની સવિસ્‍તાર માહિતી ઘરે ઘરે પહોંચે એટલા માટે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે વાપી અને વલસાડમાં સમાંતર સંમેલનનું આયોજન કરાયું હતું. વાપી વી.આઈ.એ. હોલમાં અને વલસાડમાં છીપવાડ પ્રજાપતિ હોલમાં ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યા હતા. મુખ્‍ય વક્‍તા તરીકે રાજ્‍યના કેબિનેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને હોદ્દેદારોએ નરેન્‍દ્રભાઈ મોદીના સફળતા પૂર્વકના સુશાસનનની સવિસ્‍તાર માહિતી સાથે 30 મેથી 30 જૂન જનસંપર્ક અભિયાનની જાહેરાત કરાઈ હતી.

Related posts

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

Leave a Comment