January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું કામદારોનું શોષણ : પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને પાઠવેલું આવેદન પત્ર

સબંધિત કંપનીઓ અને કોન્‍ટ્રાકટરો સામે કાનૂની કાર્યવાહી અંગે કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીમાં મોટી સંખ્‍યામાં ઉદ્યોગો સ્‍થાપિત છે જેમા કેટલીક કંપનીઓમા લેબર કોન્‍ટ્રાકટરના નામે આદિવાસીઓનું શોષણ કરવામા આવી રહ્યુ છે. લેબર કોન્‍ટ્રાકટર દ્વારા મજૂરો પાસે બાર કલાક કામ કરાવી આઠ કલાકનું જ મહેનતાણુ આપવામા આવે છે. જેમા પેકીંગ અને હમાલી કામ માટે રાખવામા આવેલ મજૂરોને પણ સ્‍કીલ વર્કરોનું કામ લેવામા આવે છે.
સરકારી નિયમ અનુસાર મજૂરોને મળતો લાભ પીએફ જેવા લાભથી વંચિત રાખવામા આવી રહ્યા છે. સ્‍કીલ લેબર કામ કરવાવાળા કામગારોને વેતનથી વંચિત રાખવામા આવી રહ્યા છે. મજુરોનું શોષણ જેવા આ તમામ સમસ્‍યાને લઈ દાનહ ભાજપાના મહામંત્રી શ્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને આવેદન પત્ર આપી સબંધિત કંપનીઓ અથવા તેઓના આધિન કામ કરનાર શ્રમિક કોન્‍ટ્રાકટર પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related posts

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

વાપીના સીએની ક્‍લાઈન્‍ટના 63.45 લાખ જી.એસ.ટી.ના નાણા નહી ભરી છેતરપીંડી કરતા ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

Leave a Comment