સબંધિત કંપનીઓ અને કોન્ટ્રાકટરો સામે કાનૂની કાર્યવાહી અંગે કરેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો સ્થાપિત છે જેમા કેટલીક કંપનીઓમા લેબર કોન્ટ્રાકટરના નામે આદિવાસીઓનું શોષણ કરવામા આવી રહ્યુ છે. લેબર કોન્ટ્રાકટર દ્વારા મજૂરો પાસે બાર કલાક કામ કરાવી આઠ કલાકનું જ મહેનતાણુ આપવામા આવે છે. જેમા પેકીંગ અને હમાલી કામ માટે રાખવામા આવેલ મજૂરોને પણ સ્કીલ વર્કરોનું કામ લેવામા આવે છે.
સરકારી નિયમ અનુસાર મજૂરોને મળતો લાભ પીએફ જેવા લાભથી વંચિત રાખવામા આવી રહ્યા છે. સ્કીલ લેબર કામ કરવાવાળા કામગારોને વેતનથી વંચિત રાખવામા આવી રહ્યા છે. મજુરોનું શોષણ જેવા આ તમામ સમસ્યાને લઈ દાનહ ભાજપાના મહામંત્રી શ્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને આવેદન પત્ર આપી સબંધિત કંપનીઓ અથવા તેઓના આધિન કામ કરનાર શ્રમિક કોન્ટ્રાકટર પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.