Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતી ટ્રેનોને 17 જૂન સુધી અસર થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: બિપરજોય સાયક્‍લોનના કારણે ટ્રેન વહેવારને પણ મોટી અસર થઈ છે. પશ્ચિમ રેલવેએ 67 જેટલી ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરી છે. તેમજ રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતીટ્રેનોને તા.17 જૂન સુધી અસર થશે. મુસાફરો અટવાઈ ના પડે તે માટે પશ્ચિમ રેલવેએ હેલ્‍પ ડેસ્‍ક પણ શરૂ કર્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ જણાવવામાં આવી રહેલ છે. જો કે સાયક્‍લોનની અસર એસ.ટી. પર પણ પડી શકે છે પરંતુ હાલ કોઈ મોટી જાહેરાત એસ.ટી. તરફથી કરાઈ નથી. પરિસ્‍થિતિના અભ્‍યાસ બાદ એસ.ટી. નિર્ણય લેશે.
મહત્ત્વની જે ટ્રેનો રદ્દ કરાઈ છે તેમાં પોરબંદર-દાદર વાયા સુરત 19016, તા.12 થી 15 જૂન સુધી, શાલીમાર એક્ષપ્રેસ, પોરબંદર સિકંદરાબાદ, તા.13-14 જૂન માત્ર રાજકોટ સુધી દોડશે. પોરબંદર જશે નહી, તા.12 થી 15 જૂન સુધી બાંદ્રા ટર્મિનસ વેરાવળ એક્‍સપ્રેસ માત્ર રાજકોટ સુધી, ઓખા પણ જશે નહી, તેજ રીતે 12 થી 15 જૂન સુધી મુંબઈ સેન્‍ટ્રલ-ઓખા એક્‍સપ્રેસ માત્ર રાજકોટ સુધી, ગાંધીધામ બાંદ્રા ટર્મિનલ એક્‍સપ્રેસ તા.15-16 જૂને રદ્દ રહેશે.

 

Related posts

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સવનો માહોલ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી શ્રીનરેશભાઈ પટેલના હસ્‍તે બીલીમોરા નગરપાલિકામાં રૂા. 12 કરોડ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂા.6.31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાંસદા ખાતે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાયો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશના લોન્‍ચિંગ કાર્યક્રમનું દમણમાં કરાયેલું જીવંત પ્રસારણ

vartmanpravah

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment