December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતી ટ્રેનોને 17 જૂન સુધી અસર થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: બિપરજોય સાયક્‍લોનના કારણે ટ્રેન વહેવારને પણ મોટી અસર થઈ છે. પશ્ચિમ રેલવેએ 67 જેટલી ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરી છે. તેમજ રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતીટ્રેનોને તા.17 જૂન સુધી અસર થશે. મુસાફરો અટવાઈ ના પડે તે માટે પશ્ચિમ રેલવેએ હેલ્‍પ ડેસ્‍ક પણ શરૂ કર્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ જણાવવામાં આવી રહેલ છે. જો કે સાયક્‍લોનની અસર એસ.ટી. પર પણ પડી શકે છે પરંતુ હાલ કોઈ મોટી જાહેરાત એસ.ટી. તરફથી કરાઈ નથી. પરિસ્‍થિતિના અભ્‍યાસ બાદ એસ.ટી. નિર્ણય લેશે.
મહત્ત્વની જે ટ્રેનો રદ્દ કરાઈ છે તેમાં પોરબંદર-દાદર વાયા સુરત 19016, તા.12 થી 15 જૂન સુધી, શાલીમાર એક્ષપ્રેસ, પોરબંદર સિકંદરાબાદ, તા.13-14 જૂન માત્ર રાજકોટ સુધી દોડશે. પોરબંદર જશે નહી, તા.12 થી 15 જૂન સુધી બાંદ્રા ટર્મિનસ વેરાવળ એક્‍સપ્રેસ માત્ર રાજકોટ સુધી, ઓખા પણ જશે નહી, તેજ રીતે 12 થી 15 જૂન સુધી મુંબઈ સેન્‍ટ્રલ-ઓખા એક્‍સપ્રેસ માત્ર રાજકોટ સુધી, ગાંધીધામ બાંદ્રા ટર્મિનલ એક્‍સપ્રેસ તા.15-16 જૂને રદ્દ રહેશે.

 

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

વલસાડ નંદવાલા હાઈવે ઉપર આર.એન.બી.ના અધિકારીની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્‍માત

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

vartmanpravah

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

Leave a Comment