રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતી ટ્રેનોને 17 જૂન સુધી અસર થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: બિપરજોય સાયક્લોનના કારણે ટ્રેન વહેવારને પણ મોટી અસર થઈ છે. પશ્ચિમ રેલવેએ 67 જેટલી ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરી છે. તેમજ રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતીટ્રેનોને તા.17 જૂન સુધી અસર થશે. મુસાફરો અટવાઈ ના પડે તે માટે પશ્ચિમ રેલવેએ હેલ્પ ડેસ્ક પણ શરૂ કર્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ જણાવવામાં આવી રહેલ છે. જો કે સાયક્લોનની અસર એસ.ટી. પર પણ પડી શકે છે પરંતુ હાલ કોઈ મોટી જાહેરાત એસ.ટી. તરફથી કરાઈ નથી. પરિસ્થિતિના અભ્યાસ બાદ એસ.ટી. નિર્ણય લેશે.
મહત્ત્વની જે ટ્રેનો રદ્દ કરાઈ છે તેમાં પોરબંદર-દાદર વાયા સુરત 19016, તા.12 થી 15 જૂન સુધી, શાલીમાર એક્ષપ્રેસ, પોરબંદર સિકંદરાબાદ, તા.13-14 જૂન માત્ર રાજકોટ સુધી દોડશે. પોરબંદર જશે નહી, તા.12 થી 15 જૂન સુધી બાંદ્રા ટર્મિનસ વેરાવળ એક્સપ્રેસ માત્ર રાજકોટ સુધી, ઓખા પણ જશે નહી, તેજ રીતે 12 થી 15 જૂન સુધી મુંબઈ સેન્ટ્રલ-ઓખા એક્સપ્રેસ માત્ર રાજકોટ સુધી, ગાંધીધામ બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસ તા.15-16 જૂને રદ્દ રહેશે.