October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

પારડી તાલુકાના વિવિધ ગામો તથા પારડી શહેરના ગણેશ મંડળના સભ્‍યો મોટી સંખ્‍યામાં રહ્યા ઉપસ્‍થિત

કલેકટરના જાહેરનામા સહિત 20 જેટલા વિવિધ મુદ્દાઓનું પાલન કરવાનું સૂચન કરતાં પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ જી.આર. ગઢવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઇ. જી.આર. ગઢવીના અધ્‍યક્ષ સ્‍થાને પારડી ખાતે આવેલ યુનિટી હોલમાં આજરોજ તા.2.9.2024 ના રોજ ટૂંક જ સમયમાં આવી રહેલ હિન્‍દુઓના ગણેશ મહોત્‍સવ અને મુસ્‍લિમોના ઇદે મિલાદ ના પર્વ ને શાંતિ સમિતિની બેઠક યોજવામાંઆવી હતી.
આ બેઠકમાં હિંદુ-મુસ્‍લિમ બંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ટૂંક જ સમયમાં આવી રહેલ ગણેશ મહોત્‍સવ અંગે પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર જી.આર. ગઢવીએ કલેકટરના જાહેરનામા સહિત 20 જેટલા વિવિધ મુદ્દા લઈ યોગ્‍ય માર્ગદર્શન આપ્‍યું હતું.
તેમણે જણાવ્‍યું હતું કે, ગણેશ મંડપમાં સીસીટીવી કેમેરા મુકવા જેથી કોઈ ગુનો થતો હોય તો અટકાવી શકાય છે. સાથે આગથી બચવા માટે ફાયર સેફટીના સાધનો મૂકવાના રહેશે. ગણેશ મંડપમાં જુગાર રમવો નહીં અને દારૂ કે અન્‍ય નશો કરી વિસર્જનમાં આવવું નહિ. જો આ રીતે કોઈ ગુનાહિત કળત્‍ય કરતા પકડાશે તો કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી. સાથે સાથે વિસર્જનના દિવસે ટ્રાફિકનું ધ્‍યાન રાખવા અને સમયસર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી દેવા માટે અપીલ કરી હતી. જેથી ચોક્કસ વ્‍યવસ્‍થા જાળવી શકાય છે.
એ જ રીતે 16 મી તારીખે આવી રહેલ મુસ્‍લિમોના ઈદે મિલાદના તહેવારને લઈ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
ખાસ કરીને ગણેશ વિસર્જન વખતે જ્‍યાં હોસ્‍પિટલ હોય ત્‍યાં વાજિંત્ર ના વગાડવા માટે સુચના આપવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદ બંને પર્વની ઉજવણી થાય એ માટે તેઓએ જરૂરી માર્ગદર્શન આપ્‍યુંહતું.
વધુમાં ગણેશ મહોત્‍સવ દરમિયાન થનાર દરેક કાર્યક્રમ અંગેની મંજૂરી લેવાની રહેશે. એ માટે અરજી કરવાની રહેશે. અરજી કર્યાથી તાત્‍કાલિક પરમિશન આપવામાં આવશે હોવાનું સૂચન પણ કરવામાં આવ્‍યું હતું.
આ શાંતિ સમિતિમાં પારડી તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ, ભાજપ-કોંગ્રેસના અગ્રણી નેતાઓ પારડી અને ગામડાઓના ગણેશ મંડળના સંચાલકો પારડી પોલીસ સ્‍ટાફ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા અને જિલ્લા કલેકટર એ બહાર પાડેલ જાહેરનામા મુજબ જરૂરી પરમિશન લેવા માટે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં સામાજીક સંસ્‍થાઓ પાઠય પુસ્‍તક બેંક કાર્યરત કરવા માટે આગળ આવે

vartmanpravah

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

સરકારના ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી ગયા

vartmanpravah

Leave a Comment