April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: દર વર્ષે શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે ઉત્તમ શેક્ષણિક કાર્ય, શાળાકીય સહ અભ્‍યાસીક પ્રવૃતિ, નાવીન્‍ય પૂર્ણ પ્રયોગો અને સામાજિક ક્ષેત્રે ઉત્‍સાહ પૂર્વક સક્રિય યોગદાન બદલ શિક્ષકોની પસંદગી કરી તેમને શિક્ષણ વિભાગ ગુજરાત તરફથી પ્રતિભાશાળી શિક્ષક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
વર્ષ 2022-23 ના વર્ષમાં વાપી તાલુકામાં આવેલ તમામ પ્રાથમિક શાળા પૈકી કુલ 7 કેન્‍દ્રમાં વટાર કેન્‍દ્ર શાળામાંથી પ્રતિભાશાળી શિક્ષક તરીકે તેજસ્‍વી ગુલાબભાઈ પટેલની પસંદગી થતા તેમને 15 મી ઓગસ્‍ટ સ્‍વતંત્રતા દિવસે વાપી મામલતદાર કચેરી ખાતે મામલતદાર વાપીના હસ્‍તે પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
તેજસ્‍વીએ શાળા પરિવાર તથા સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધારતા તેમને શાળા તથા આદિવાસી સમાજે  અભિનંદન પાઠવ્‍યા હતા. આ કાર્યક્રમમાં વાપીના મામલતદાર, ટીડીઓ, પોલીસ અધિકારીઓ, બીઆરસી તથા બલીઠા પ્રાથમિકશાળાના વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

vartmanpravah

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment