April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે અનાવરણ

પાલિકા અને ભાનુશાલી સમાજ ટ્રસ્‍ટ દ્વારા કાર્યક્રમ યોજાયો : વૈશાલી ચોકડીને શ્‍યામજી વર્મા ચોક નામ અપાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપીના પ્રવેશદ્વાર વૈશાલી ચોકડી ઉપર આજે રવિવારે આઝાદીના મહાન યૌધ્‍ધા અને ભાનુશાલી ગુજરાતી સપૂત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું.

વાપી નગરપાલિકા અને ભાનુશાલી મિત્રમંડળ ટ્રસ્‍ટ દ્વારા વૈશાલી ચોકડી ઉપર આજે રવિવારે પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ સવારે 10 કલાકે યોજાયો હતો. મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા નાણા-ઊર્જા,પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી કનુભાઈ દેસાઈએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્‍યું હતું કે, કચ્‍છના વિર સપૂત બાનુશાલી પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માએ પરદેશમાં આઝાદીની લડત ચલાવી હતી. લંડનમાં ઈન્‍ડિયા હાઉસથી સુભાષ ચન્‍દ્ર બોઝ અને પંડિત શ્‍યામજી વર્માએ આઝાદીનો સંગ્રામ છેડયો હતો. તેઓ જીવંત થયેલ આઝાદીના લડવૈયા પધરાવજો તેમની અંતિમ ઈચ્‍છા તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પુરી કરી તેવા સ્‍વાતંત્ર્ય સેનાની શ્‍યામજી વર્માની પ્રતિમાનું વાપીના પ્રવેશદ્વાર વૈશાલી ચોકડી ઉપર આજે અનાવરણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, કારોબારી ચેરમેન મિતેશ શાહ, ઉપ પ્રમુખ અભય નહાર તથા ભાનુશાલી સમાજ પ્રમુખ અરવિંદભાઈ ભાનુશાલી સહિત ભાનુશાલી સમસ્‍ત સમાજ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ટાઉનહોલ અને સચદેવ બાલ ઉદ્યાન ગાર્ડનમાં હાલમાં ડીમોલીશનનુ કાર્ય ચાલી રહ્યુ છે.પ્રશાસન દ્વારા ટાઉન હોલની જગ્‍યામાં પણ ગાર્ડનને ડેવલોપ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકો માટેના રમતના સાધનો, સિનિયર સીટીઝનો માટે બેઠકની વ્‍યવસ્‍થા સાથે પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેવા પ્રોજેક્‍ટ બનાવવામાં આવશે.

vartmanpravah

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

Leave a Comment