(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.18 : શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રી જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રા 20મી જૂનના રોજ 11:30 કલાકે પ્રારંભ કરાવાશે. યાત્રાના સંદર્ભમાં રથ બનાવવાની કામગીરી ભાવિક ભક્તજનો દ્વારા પુરા જોશથી ચાલી રહી છે.આ યાત્રામાં વાપી તથા ઉમરગામ વિસ્તારના અનેક આગેવાનો નગરસેવકો વિવિધ સંગઠનના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિ રહેશે.