April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી માટે ત્રણ સ્‍થળોની કરાયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક પ્રથા છે જેનો ઉદ્‌ભવ ભારતમાં થયો છે. ‘યોગ’ શબ્‍દ સંસ્‍કૃતમાંથી આવ્‍યો છે અને તેનો અર્થ થાય છે જોડાવું અથવા એક થવું, જે શરીર અને ચેતનાના જોડાણનું પ્રતીક છે.
આજે તે વિશ્વભરમાં વિવિધ સ્‍વરૂપોમાં પ્રેક્‍ટ્‍સિ કરવામાં આવે છે અને લોકપ્રિયતામાં વધારો કરવાનું ચાલુ રાખે છે. તેની સાર્વત્રિક અપીલને માન્‍યતા આપતા, 11 ડિસેમ્‍બર 2014ના રોજ, સંયુક્‍ત રાષ્ટ્ર સંઘે ઠરાવ 69/131 દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉદ્દેશ્‍ય યોગની પ્રેક્‍ટ્‍સિ કરવાના ઘણા ફાયદાઓ વિશે વિશ્વભરમાં જાગૃતિ લાવવાનો છે. જેના ઉપલક્ષમાં દર વર્ષે 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકોને યોગ પ્રત્‍યે જાગૃત કરીને વૈશ્વિક સ્‍તરે યોગને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશ્‍ય સાથેઆ વિશેષ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. યોગ નિષ્‍ણાતો કહે છે કે નિયમિત રીતે યોગાસનોની આદત બનાવીને તમે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્‍ત રહી શકાય છે. તેથી આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની થીમ ‘વસુધૈવટુટુંબકમ’ ‘દરેક ઘર આંગણે યોગ’ અંતર્ગત દાદરા નગર હવેલીમાં વિવિધ સ્‍થળોએ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી અને સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘની માર્ગદર્શિકા મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય વિભાગ દ્વારા આ વખતે સમૂહ યોગ સત્રો માટે ત્રણ (3) સ્‍થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં (1) ક્રિકેટ સ્‍ટેડિયમ -સાયલી, (2) નમો ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઑફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ અને (3) કોરેસ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ સિલ્‍વાસા (કલેક્‍ટર કચેરીની સામે) આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને દાદરા નગર હવેલીના અન્‍ય વિભાગો, નમો મેડિકલ કૉલેજ, પેરામેડિકલ કૉલેજ અને નર્સિંગ કૉલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ સમૂહ સત્રમાં ભાગ લેશે.
આ પ્રસંગે ઉપરોક્‍ત 03 સ્‍થળો ઉપરાંત કેન્‍દ્રશાસિત પ્રદેશના તમામ આરોગ્‍ય કેન્‍દ્રો, પેટા જિલ્લા હોસ્‍પિટલો દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગત વર્ષે આ યોગ દિવસ નિમિત્તે અનેક લાભાર્થીઓએ દાદરા નગર હવેલીમાં વિવિધ સ્‍થળોએ આયોજિત યોગ સત્રોનો લાભ લીધો હતો. આ વર્ષના યોગ સત્રમાં ગત વર્ષ કરતાં વધુલા ભાર્થીઓ લાભ લે તેવી અપેક્ષા છે.

Related posts

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

ચીખલીના મજીગામમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડોનું રોકાણ કરાવી કરોડોનો ચૂનો ચોપડનાર સમર ગ્રુપના પાંચ શખ્‍સો સામે ફરિયાદઃ 3 શખ્‍સોની ધરપકડ

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

Leave a Comment