March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી માટે ત્રણ સ્‍થળોની કરાયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક પ્રથા છે જેનો ઉદ્‌ભવ ભારતમાં થયો છે. ‘યોગ’ શબ્‍દ સંસ્‍કૃતમાંથી આવ્‍યો છે અને તેનો અર્થ થાય છે જોડાવું અથવા એક થવું, જે શરીર અને ચેતનાના જોડાણનું પ્રતીક છે.
આજે તે વિશ્વભરમાં વિવિધ સ્‍વરૂપોમાં પ્રેક્‍ટ્‍સિ કરવામાં આવે છે અને લોકપ્રિયતામાં વધારો કરવાનું ચાલુ રાખે છે. તેની સાર્વત્રિક અપીલને માન્‍યતા આપતા, 11 ડિસેમ્‍બર 2014ના રોજ, સંયુક્‍ત રાષ્ટ્ર સંઘે ઠરાવ 69/131 દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉદ્દેશ્‍ય યોગની પ્રેક્‍ટ્‍સિ કરવાના ઘણા ફાયદાઓ વિશે વિશ્વભરમાં જાગૃતિ લાવવાનો છે. જેના ઉપલક્ષમાં દર વર્ષે 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં લોકોને યોગ પ્રત્‍યે જાગૃત કરીને વૈશ્વિક સ્‍તરે યોગને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશ્‍ય સાથેઆ વિશેષ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. યોગ નિષ્‍ણાતો કહે છે કે નિયમિત રીતે યોગાસનોની આદત બનાવીને તમે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્‍ત રહી શકાય છે. તેથી આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની થીમ ‘વસુધૈવટુટુંબકમ’ ‘દરેક ઘર આંગણે યોગ’ અંતર્ગત દાદરા નગર હવેલીમાં વિવિધ સ્‍થળોએ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી અને સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘની માર્ગદર્શિકા મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય વિભાગ દ્વારા આ વખતે સમૂહ યોગ સત્રો માટે ત્રણ (3) સ્‍થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં (1) ક્રિકેટ સ્‍ટેડિયમ -સાયલી, (2) નમો ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઑફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ અને (3) કોરેસ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ સિલ્‍વાસા (કલેક્‍ટર કચેરીની સામે) આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને દાદરા નગર હવેલીના અન્‍ય વિભાગો, નમો મેડિકલ કૉલેજ, પેરામેડિકલ કૉલેજ અને નર્સિંગ કૉલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ સમૂહ સત્રમાં ભાગ લેશે.
આ પ્રસંગે ઉપરોક્‍ત 03 સ્‍થળો ઉપરાંત કેન્‍દ્રશાસિત પ્રદેશના તમામ આરોગ્‍ય કેન્‍દ્રો, પેટા જિલ્લા હોસ્‍પિટલો દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગત વર્ષે આ યોગ દિવસ નિમિત્તે અનેક લાભાર્થીઓએ દાદરા નગર હવેલીમાં વિવિધ સ્‍થળોએ આયોજિત યોગ સત્રોનો લાભ લીધો હતો. આ વર્ષના યોગ સત્રમાં ગત વર્ષ કરતાં વધુલા ભાર્થીઓ લાભ લે તેવી અપેક્ષા છે.

Related posts

પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત

vartmanpravah

વલસાડ ગ્રીનપાર્ક સોસાયટીમાં છૂટક ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયું: 3.6 કિ.ગ્રા. ગાંજો તથા રૂા.1.67 લાખ રોકડા ઝડપાયા

vartmanpravah

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

મોદીની ગેરંટી એટલે કામ પૂર્ણ થવાની ગેરંટી + છેલ્લા 10 વર્ષમાં દમણ-દીવ અને દાનહનો ભવ્‍ય અને ઐતિહાસિક થયેલો વિકાસઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

Leave a Comment