February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીના ગોરાતપાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા આઇ.પી.એસ. અધિકારી શ્રી પિયુષ નિરાકર ફુલઝેલેની અધ્‍યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓને રંગબેરંગી સુશોભનથી સજાવેલ ગાડીઓમાં બેસાડી ગામમાં શોભાયાત્રા રૂપે ફેરવવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ સરસ્‍વતી માતાની પ્રતિમાનું પૂજન કરી વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી. મુખ્‍ય અતિથિ દ્વારા નવા પ્રવેશ મેળવનાર ધોરણ1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન ધોરણ 6થી 10સુધીના પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા આઇ.પી.એસ. અધિકારી શ્રી પિયુષ નિરાકર ફુલઝેલેએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્‍વ અંગે જાણકારી આપી હતી. તેમણે વાલીઓને જણાવ્‍યું હતું કે, એમના બાળકોને શિક્ષણમાં કંઈપણ ઓછું પડવા દેતા નહીં, તેમણે શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલ કાર્યોની સરાહના પણ કરીહતી.
આઇ.પી.એસ. અધિકારી શ્રી પિયુષ નિરાકર ફુલઝેલેએ જણાવ્‍યું હતું કે, દરેક વિદ્યાર્થી પ્રતિભાવાન બને એના માટે હંમેશા પ્રયાસ કરતા રહેવું જોઈએ.
આ અવસરે બી.આર.પી. શ્રી ગણેશ મોરે, મુખ્‍ય શિક્ષક શ્રી રાજેશ દેસાઈ, એસ.એમ.સી. અધ્‍યક્ષ શ્રી વિજય માહલા, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ન.પા.ના તમામ રોડના સમારકામ માટે કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની સી.ઓ.ને લેખિત રજૂઆત

vartmanpravah

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

મોબાઈલની મોકાણઃ સગીર યુવતીએ કરી આત્‍મહત્‍યા : ખડકીમાં પિતાએ ‘મોબાઈલ કેમ બંધ છે?’ ના ઠપકાને લઈ 17 વર્ષીય દીકરીએ ફાંસો ખાઈ કરી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

Leave a Comment