Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. ખેતીલાયક વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોએ વાવણી કરવા સહિતખેતરમાં ખેડવાની અને ડાંગર-નાગલીનું ધરૂ ઉછેરવાની તૈયારી આરંભી દીધી છે.
આજે સેલવાસમાં 102.2 એમએમ એટલે કે, ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્‍યારે ખાનવેલ વિસ્‍તારમાં 52.2 એમએમ એટલે કે બે ઇંચથી વધુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશની જીવાદોરી એવા મધુબન ડેમનું લેવલ 66.50 મીટર છે અને ડેમમાં પાણીની આવક 2126 ક્‍યુસેક જ્‍યારે પાણીની જાવક 212 ક્‍યુસેક નોંધાઈ છે.
દાનહમાં સતત ચાર દિવસથી પડી રહેલ વરસાદના કારણે કેટલાક વિસ્‍તારના રસ્‍તાઓ જર્જરીત બની જવા પામ્‍યા છે. જેમાં લુહારી ફાટકથી ખરડપાડા તરફ જતો રસ્‍તો પણ બિસ્‍માર થઈ ગયો છે. ખખડધજ ચાર કિલોમીટરના રસ્‍તાને કાપતા 20 મિનિટથી વધુ સમય નીકળી જાય છે.

Related posts

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

દમણમાં 69મા વન્‍યજીવ સપ્તાહની ઉત્‍સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્‍પોર બીચની સ્‍વચ્‍છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

Leave a Comment