Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

નિવૃત્ત કર્મચારીઓ તથા અવસાન પામેલા 22 કર્મચારીઓના વારસદારોને રૂબરૂ સાંભળી પ્રશ્નો ઉકેલ્‍યા

ઓપન હાઉસમાં એસટીના કર્મચારીઓ અને વારસદારો મળી કુલ 48 લોકોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વલસાડ એસ.ટી. વિભાગ ખાતે વિભાગીય નિયામક શ્રી એન. એસ. પટેલ દ્વારા સ્‍થળ ઉપર પ્રશ્નોના ઝડપથી નિકાલ અને કામદાર કલ્‍યાણની પ્રવૃત્તિ અંતર્ગત નવીન પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત તા.3 જુલાઈના રોજ વિભાગના નિવૃત્ત કર્મચારીઓ તથા અવસાન પામેલા 22 કર્મચારીઓના વારસદારોને રૂબરૂ બોલાવી ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ઓપન હાઉસમાં એસટીના કર્મચારીઓ અને વારસદારો મળી કુલ 48 લોકોએ ભાગ લીધો હતો. જેમાં કર્મચારીઓના નિવૃત્તિ તથા અવસાન બાદ મળવા પાત્ર નાણાંઓ ખાસ કરીને પેન્‍શન અને ઈ.ડી.એલ.આઈ. (એમ્‍પ્‍લોઈઝ ડિપોઝિટ લીંક્‍ડ ઈન્‍સ્‍યુરન્‍સ સ્‍કીમ-કામદાર બચત સંકલિત વીમા યોજના)ના દાવા ઘણા લાંબા સમયથી પડતર હતા, જેનો ઝડપથી નિકાલ થાય તે હેતુસર વિગતવાર સમજ આપી વારસદારો પાસેથી ખૂટતા દસ્‍તાવેજો મેળવી ત્‍વરિત નિકાલ કરી નીકળતા નાણાકીય લાભો કર્મચારીઓ અનેવારસદારોને મળે તે અંગે હકારાત્‍મક નિર્ણય સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે વલસાડ વિભાગના નિવૃત્ત થયેલા અન્‍ય કર્મચારીઓના ઇ.ડી.એલ.આઇ અને પેન્‍શનના દાવાઓ સહિત અન્‍ય બાબતોએ કોઈ પ્રશ્ન હોય તો તા. 17 જુલાઈ 2023ના રોજ સવારે 11-00 કલાકથી બપોરે 2-00 કલાક દરમિયાન વલસાડ એસટી વિભાગીય કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકશે, જેમાં તેઓને ચોક્કસ માર્ગદર્શન આપી તેઓના પ્રશ્ન ઉકેલવામાં આવશે.

Related posts

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment