Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

નિવૃત્ત કર્મચારીઓ તથા અવસાન પામેલા 22 કર્મચારીઓના વારસદારોને રૂબરૂ સાંભળી પ્રશ્નો ઉકેલ્‍યા

ઓપન હાઉસમાં એસટીના કર્મચારીઓ અને વારસદારો મળી કુલ 48 લોકોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વલસાડ એસ.ટી. વિભાગ ખાતે વિભાગીય નિયામક શ્રી એન. એસ. પટેલ દ્વારા સ્‍થળ ઉપર પ્રશ્નોના ઝડપથી નિકાલ અને કામદાર કલ્‍યાણની પ્રવૃત્તિ અંતર્ગત નવીન પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત તા.3 જુલાઈના રોજ વિભાગના નિવૃત્ત કર્મચારીઓ તથા અવસાન પામેલા 22 કર્મચારીઓના વારસદારોને રૂબરૂ બોલાવી ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ઓપન હાઉસમાં એસટીના કર્મચારીઓ અને વારસદારો મળી કુલ 48 લોકોએ ભાગ લીધો હતો. જેમાં કર્મચારીઓના નિવૃત્તિ તથા અવસાન બાદ મળવા પાત્ર નાણાંઓ ખાસ કરીને પેન્‍શન અને ઈ.ડી.એલ.આઈ. (એમ્‍પ્‍લોઈઝ ડિપોઝિટ લીંક્‍ડ ઈન્‍સ્‍યુરન્‍સ સ્‍કીમ-કામદાર બચત સંકલિત વીમા યોજના)ના દાવા ઘણા લાંબા સમયથી પડતર હતા, જેનો ઝડપથી નિકાલ થાય તે હેતુસર વિગતવાર સમજ આપી વારસદારો પાસેથી ખૂટતા દસ્‍તાવેજો મેળવી ત્‍વરિત નિકાલ કરી નીકળતા નાણાકીય લાભો કર્મચારીઓ અનેવારસદારોને મળે તે અંગે હકારાત્‍મક નિર્ણય સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે વલસાડ વિભાગના નિવૃત્ત થયેલા અન્‍ય કર્મચારીઓના ઇ.ડી.એલ.આઇ અને પેન્‍શનના દાવાઓ સહિત અન્‍ય બાબતોએ કોઈ પ્રશ્ન હોય તો તા. 17 જુલાઈ 2023ના રોજ સવારે 11-00 કલાકથી બપોરે 2-00 કલાક દરમિયાન વલસાડ એસટી વિભાગીય કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકશે, જેમાં તેઓને ચોક્કસ માર્ગદર્શન આપી તેઓના પ્રશ્ન ઉકેલવામાં આવશે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓને કોવિડ-19ની રસીનો ડોઝ અપાયો

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

મોટી દમણ નવા જમ્‍પોર માંગેલા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દહેરીની ટીમ વિજેતા

vartmanpravah

યુઆઇએની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ : કોર્ટ કાર્યવાહીની સંભાવના: ટીમ ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલને મેમ્‍બર સંપર્કમાં મળી રહેલું સમર્થન

vartmanpravah

Leave a Comment