Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

કાર ચાલકે રિક્ષાના ગ્‍લાસ ઉપર પાણી ઉડાડતા રિક્ષા ડિવાઈડર પર ચઢી પલટી મારી ગઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપીથી સુરત જઈ રહેલ રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે ઉપર બ્રિજના છેડે અચાનક પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. સદ્દનસીબે રિક્ષાના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘાયલ રિક્ષા ચાલકને સારવાર માટે ખસેડાયો હતો.
વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર મંગળવારે મોડી રાત્રે અકસ્‍માત સર્જાયો હતો. વાપીથી સામાજીક કામ પતાવી મુસ્‍લિમ પરિવાર એક મહિલા, બે બાળકો અને વૃધ્‍ધ રિક્ષા નં.જીજે 05 એવાય 6703માં બેસી સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા પાસેથી પસાર થયેલી એકકારે પાણી ઉડાડતા રિક્ષાના ગ્‍લાસમાં દેખાવું બંધ થઈ જતા રિક્ષા ડ્રાઈવરે કાબુ ગુમાવતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈને પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં મુસ્‍લિમ પરિવારનો ચમત્‍કારિક બચાવ થયો હતો. પરંતુ રિક્ષા ચાલકને ફેક્‍ચર થતાં લોકોએ 108 દ્વારા વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો. કાર ચાલકોએ પણ ડ્રાઈવિંગમાં બેફિકરાઈ ના દાખવવી જોઈએ.

Related posts

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા ખો-ખો અને ફૂટબોલની સ્‍પર્ધા યોજાઈ : અંડર 14 છોકરાઓની ખો-ખો સ્‍પર્ધામાં જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ નાની દમણ બનેલી વિજેતા

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

vartmanpravah

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment