June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

કચીગામ ચાર રસ્‍તા સુધી નિકળેલી શોભાયાત્રામાં જોડાયેલું આખું કચીગામ : મહાપ્રસાદ સાથે પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આજે સમાપન થયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં ફક્‍ત કચીગામ જ નહીં પરંતુ સમગ્ર દમણ ભક્‍તિભાવથી ઉપસ્‍થિત રહી આજે મહાપ્રસાદમાં પણ સેંકડો ભાવિકભક્‍તો જોડાયા હતા.
કાછલ ફળિયાના ભિખી માતા અને દુધી માતાના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે મોટી શોભાયાત્રા પણ કચીગામ ચાર રસ્‍તા સુધી જઈ પરત મંદિરના પટાંગણમાં પહોંચી હતી. સાંસદ શ્રી લાલુભાઈ પટેલ એમના પુત્ર અને યુવા નેતા શ્રી ગૌરાંગ લાલુભાઈ પટેલ સહિતની ટીમ તથા શ્રી ઈશ્વરભાઈ અને તેમના સાથીદારોએ આ સમગ્ર કાર્યક્રમને સફળ અને યશસ્‍વી બનાવવા પોતાના તન, મન અને ધનનું યોગદાન આપ્‍યું હતું. મનિષા વસાવા અને તેમના સાથીઓએ ભજન અને ભક્‍તિ ગીતનીજમાવેલી રમઝટથી સમગ્ર વાતાવરણ ભક્‍તિમય બનવા પામ્‍યું હતું.

Related posts

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

vartmanpravah

વાપી-વલસાડમાં ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: સડેલો-વાસી ખોરાકનો જથ્‍થો નાશ કરાયો

vartmanpravah

Leave a Comment