Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના ધગડમાળ, ડેહલી અને અરનાલા ગામોમાં રૂા.72.50 લાખના વિકાસના કામોને મંજૂરી

જિ.પંચાયત શાસક પક્ષના નેતાની વારંવારની રજૂઆતના
પગલે રૂા.72.50 લાખના વિકાસના કામો મંજુર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિ.પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશકુમાર રઘુભાઈ પટેલે જિ.પંચાયતની સામાન્‍ય સભામાં કલેક્‍ટરની ચીવલ મુકામે યોજાયેલ રાત્રી સભામાં અને જિલ્લા કક્ષાના સ્‍વાગત કાર્યક્રમમાં કલેક્‍ટર કચેરી ખાણ-ખનિજ વિભાગની ડીસ્‍ટ્રીક્‍ટ મિનરલ ફાઉન્‍ડેશન ફંડ સામે પોતાના મત વિસ્‍તારના ખાણ-ખનિજ વિસ્‍તારના ગામો ધગડમાળ, ડહેલી અને અરનાલામાં વિકાસના કામો મંજુર કરવા વારંવાર રજૂઆત કરતા જિલ્લા કક્ષાની એક્‍ઝીકયુટીવ કમિટી અને જિ.કક્ષાની ગવર્નિંગ કાઉન્‍સિલે ધ્‍યાનમાં લઈ પ્રધાનમંત્રી ખનિજક્ષેત્ર કલ્‍યાણ યોજના અંતર્ગત પારડીતાલુકાના ધગડમાળ ગામે પ્રાથમિક શાળાના પાંચ ઓરડા માટે રૂા.62.50 લાખ, ધગડમાળ તળાવ ફળીયા સ્‍માર્ટ આંગણવાડી માટે રૂા.5 લાખ અને ડહેલી મુસલમાન ફળીયા સ્‍માર્ટ આંગણવાડી માટે રૂા.5 લાખ મળી કુલ રૂપિયા 72.50 ના વિકાસના કામો મંજુર થયેલ છે.
ધગડમાડ ડહેલી વિસ્‍તારના તા.પંચાયત સભ્‍ય પારડી તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશભાઈ શંકરભાઈ પટેલ, ધગડમાળ સરપંચ અંકીતાબેન પટેલ, ડહેલી સરપંચ તેજલબેન પટેલ અને પારડી તાલુકા ભાજપના ઉપાધ્‍યક્ષ રાજુભાઈ આહીરે જિ.પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશકુમાર પટેલનો આભાર માની આજ રીતે વિકાસના કામો કરાવવાની આશા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

દમણના કરાટે માસ્‍ટર ડો શિહાન અગમ ચોનકર, પત્‍ની કલ્‍પના ચોનકર અને દિકરી ઈશ્વરી ચોનકરનું જીનીયસ ઈન્‍ડિયન એચીવર એવોર્ડ-ર0રરથી સન્‍માન કરાયું

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

ચોમાસાની આગોતરી તૈયારીઃ નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોવિડ-૧૯ મેગાડ્રાઇવ અભિયાનનેᅠસુંદર પ્રતિસાદ: સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ

vartmanpravah

Leave a Comment