October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના ખેરડી પંચાયતમાં સરપંચ શ્રી યશવંતભાઈ ઘુટિયાના અધ્‍યક્ષસ્‍થાને દાદરા નગર હવેલી વિકાસ અને આયોજન અધિકારીના આદેશ અનુસાર ‘મનરેગા સામાજિક ઓડિટ’ની ગ્રામસભા યોજાઈ હતી. જેમા મનરેગા વિભાગના શ્રીમતી શર્મિષ્ઠા દેસાઈએ સામાજિક ઓડિટમાં થયેલ કામોની ચકાસણી કરી હતી અને જાણ્‍યું હતું કે, મનરેગા યોજનાનો લાભ લોકો સુધી યોજનાનો લાભ મળ્‍યો છે કે નહીં? ત્‍યારબાદ શ્રી દિવ્‍યેશ સાંબરએ મનરેગા યોજનામાંથી પીએમએવાયજી લાભાર્થીને આપવામાં આવેલ મજૂરીની યાદી વંચાણે લીધી હતી. ત્‍યારબાદ જિલ્લા પંચાયતના અધિકારીએ ગ્રામ સભામાં ઉપસ્‍થિત ગ્રામજનોને જણાવેલ કે મનરેગા યોજનામાં આપણે ઘણાં બધા કામો કરી શકીએ છીએ અને જે કામ કરી આપણે રોજગારી મેળવી શકીએ છીએ અને યોજનાનો લાભ લેવો જોઈએ.
આ અવસરે અધ્‍યક્ષસ્‍થાને ઉપસ્‍થિત સરપંચયશવંતભાઈ ઘુટિયાએ મનરેગા યોજનામાંથી પીએમએવાયજી લાભાર્થીને મજૂરીના નાણાં ચુકવાયા છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. સામાજિક ઓડિટની ગ્રામસભામાં જિલ્લા પંચાયત અધિકારી શ્રી ક્રિષ્‍ણા ચૈતન્‍ય અને શ્રી રાકેશભાઈ મેહતા, મનરેગા યોજનાનો સ્‍ટાફ, પંચાયત સ્‍ટાફ, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ

vartmanpravah

પારડી સોના દર્શન પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી 35 હજારના સાઈલેન્‍સરનીᅠચોરી

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

મોજ-મસ્‍તી કરવા દમણ આવેલા દારૂડિયાઓને કોળી પટેલ સમાજના હોલમાં આશરો આપવો તે સમાજના બંધારણની અવહેલનાઃ યુવા આગેવાન અને ધારાશાષાી મયંકભાઈ પટેલ

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment