-
14મી એપ્રિલે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભામટી પ્રગતિ મંડળના સહયોગથી રેલીનું આયોજન
-
મોટી દમણના આદિવાસી સંસ્કૃતિ ભવનના ઓડિટોરીયમમાં રેલી વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલે મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે અને અગામી તા.14મી એપ્રિલના રોજ ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની પણ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે સવારે 11.00 વાગ્યે પંચાયતના પરિસરમાં મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ ઉજવવામાં આવશે. જ્યારે 14મી એપ્રિલ,ર0રરના રોજ વિશ્વ વિભૂતિ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનીજન્મજયંતિના ઉપલક્ષમાં ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભામટી કોમ્યુનિટી હોલથી સંપૂર્ણ આદર અને સત્કાર સાથે રેલી સ્વરૂપે નિકળી મોટી દમણ કલેક્ટરાલયની પાછળ આવેલા આદિવાસી સંસ્કૃતિ ભવનના ઓડિટોરીયમમાં વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના ઉપલક્ષમાં આયોજીત વિશેષ ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા સરપંચ દ્વારા ભાવભીનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.