July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

  • 14મી એપ્રિલે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે ભામટી પ્રગતિ મંડળના સહયોગથી રેલીનું આયોજન

  • મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવનના ઓડિટોરીયમમાં રેલી વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલે મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવશે અને અગામી તા.14મી એપ્રિલના રોજ ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની પણ જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે સવારે 11.00 વાગ્‍યે પંચાયતના પરિસરમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિ ઉજવવામાં આવશે. જ્‍યારે 14મી એપ્રિલ,ર0રરના રોજ વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરનીજન્‍મજયંતિના ઉપલક્ષમાં ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભામટી કોમ્‍યુનિટી હોલથી સંપૂર્ણ આદર અને સત્‍કાર સાથે રેલી સ્‍વરૂપે નિકળી મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આવેલા આદિવાસી સંસ્‍કૃતિ ભવનના ઓડિટોરીયમમાં વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિના ઉપલક્ષમાં આયોજીત વિશેષ ગ્રામસભામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ દ્વારા ભાવભીનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીનો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

વરસાદના વિઘ્‍ન વચ્‍ચે વાપી વિસ્‍તારમાં નવરાત્રિની પુરજોશમાં શરૂ થયેલી તૈયારીઓ

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment