January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પોતાની ટીમ સાથે ફરી મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા ઉપર પ્રદેશમાં થયેલા વિકાસ કામોની આપી રહેલા જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્રમાં સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકોના માધ્‍યમથી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશના તમામ જિલ્લાના મંડળોમાં અભિયાન 30મી મેથી અવિરત ચાલુ છે. જેના ઉપલક્ષમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. આજે દીવના ઘોઘલા ગ્રામ પંચાયત વિસ્‍તાર અને દીવના બંદર ચોક વિસ્‍તારમાં સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દ્વારા જન સંપર્ક અભિયાન ચલાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશ અને પ્રદેશમાં થયેલા વિકાસ કામોની જાણકારી લોકોને આપવામાં આવી હતી. સાથે કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રદેશમાં ચલાવવામાં આવીરહેલ વિવિધ જનઉપયોગી યોજનાઓથી પણ લોકોને અવગત કરાયા હતા અને પ્રદેશની તમામ જન કલ્‍યાણકારી યોજનાઓનો લાભ લેવા આહ્‌વાન કર્યું હતું.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં ચલાવાઈ રહેલા જન સંપર્ક અભિયાન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓની સાથે ઘોઘલા મંડલમાં અને દીવ શહેર મંડળના ગાંધીપરા વિસ્‍તારમાં એક ટિફિન બેઠકનું આયોજન કરી સંવાદ કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે સાંસદ શ્રી લાલુભાઈ પટેલની સાથે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરિયા, દીવ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી કિરીટ વાજા, દીવ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મોહનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા બામણીયા, દીવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન રામા, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન, નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી હરેશ પાચા કાપડિયા, દીવ શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુ દવે, ન.પા. કાઉન્‍સિલર શ્રીમતી નીતાબેન જાદવ, શ્રી વિપુલભાઈ, શ્રી દિનેશ સોલંકી, શ્રીમતી હર્ષિદાબેન, શ્રી ક્રિદાનભાઈ અને જિલ્લા પંચાયતના સભ્‍યો, ભાજપ કાર્યકર્તા શ્રીમતી હેમાંશીબેન રાજપૂત, શ્રીમતી હંસાબેન સંદીપભાઈ જાદવ, શ્રી કિશોર કાપડિયા, શ્રી છગનભાઈ બામણિયા, ભાજપ મીડિયા કન્‍વીનર શ્રી શ્રી પ્રિયાંક સોલંકી, શ્રી ભવ્‍યેશભાઈ તથા મોટી સંખ્‍યામાં ભાજપના વિવિધ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ આઅભિયાનમાં જોડાયા હતા.

Related posts

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment