Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : પરિવર્તનની પહેલ અંતર્ગત ટાટા સ્‍ટીલ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત ‘ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામ-2023′ મહારાષ્‍ટ્રના પૂણે નજીક પંચગીની ખાતે યોજાયો હતો. જેમાં દેશના વિવિધ 20 જેટલા રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી પચાસ જેટલી આદિજાતિના 95 જેટલા યુવા ટ્રાઇબલ લીડરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના બાલદેવી ગામના શ્રી રીતેશકુમાર નાનજીભાઈ પટેલ અને ખાનવેલ ખુટલી ગામના કુમારી ભાગ્‍યશ્રી રમેશભાઈવાઢુની પસંદગી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, આદિવાસી સમાજના આ યુવા લીડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો સહિત અન્‍ય રાજ્‍યોમાં આદિવાસીઓની પરિસ્‍થિતિ, તેમની રહેણીકરણી, સંસ્‍કળતિ, સભ્‍યતા, પહેરવેશ અને સાથે સમગ્ર દેશના આદિવાસીઓની એકબીજા સાથે ઓળખની આપલે થાય અને નવા યુવા લીડરોના નેતૃત્‍વની જાગૃતતાના હેતુથી ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન છેલ્લાં ઘણા વર્ષોથી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દાનહ સહિત ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, માંડવી વિસ્‍તારના આદિવાસી યુવા લીડરોએ ખુબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને તેમણે તેમના નેતૃત્‍વનું કૌવત ઝળકાવ્‍યું હતું.

Related posts

વાપી કેબીએસ ઍન્ડ નટરાજ કોલેજમાં વાર્ષિક દિનની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલને જન્‍મ દિનની શુભેચ્‍છા આપવા કાર્યકરોની લાગેલી લાંબી હરોળ

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment