December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : પરિવર્તનની પહેલ અંતર્ગત ટાટા સ્‍ટીલ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત ‘ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામ-2023′ મહારાષ્‍ટ્રના પૂણે નજીક પંચગીની ખાતે યોજાયો હતો. જેમાં દેશના વિવિધ 20 જેટલા રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી પચાસ જેટલી આદિજાતિના 95 જેટલા યુવા ટ્રાઇબલ લીડરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના બાલદેવી ગામના શ્રી રીતેશકુમાર નાનજીભાઈ પટેલ અને ખાનવેલ ખુટલી ગામના કુમારી ભાગ્‍યશ્રી રમેશભાઈવાઢુની પસંદગી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, આદિવાસી સમાજના આ યુવા લીડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો સહિત અન્‍ય રાજ્‍યોમાં આદિવાસીઓની પરિસ્‍થિતિ, તેમની રહેણીકરણી, સંસ્‍કળતિ, સભ્‍યતા, પહેરવેશ અને સાથે સમગ્ર દેશના આદિવાસીઓની એકબીજા સાથે ઓળખની આપલે થાય અને નવા યુવા લીડરોના નેતૃત્‍વની જાગૃતતાના હેતુથી ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન છેલ્લાં ઘણા વર્ષોથી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દાનહ સહિત ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, માંડવી વિસ્‍તારના આદિવાસી યુવા લીડરોએ ખુબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને તેમણે તેમના નેતૃત્‍વનું કૌવત ઝળકાવ્‍યું હતું.

Related posts

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

દીવ પોલીસે રૂા. 32 હજારના દારૂ-બિયરના જથ્‍થા સાથે ચાર આરોપીઓની કરેલી અટક : એક કાર બરામદ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment